એપશહેર

હિમાચલમાં ભૂસ્ખલનમાં ગાયબ થયેલી બસનો કોઈ પત્તો નથી, અત્યાર સુધી મળ્યા 10 મૃતદેહ

ભૂસ્ખલનને એક દિવસ થવા આવ્યો પરંતુ હજી સુધી દુર્ઘટનાનો શિકાર બનેલી બસ નથી મળી શકી, 2 વર્ષની બાળકી સહિત 10 લોકોનાં મૃતદેહ મળ્યા.

I am Gujarat 12 Aug 2021, 9:05 am

હાઈલાઈટ્સ:

  • કિન્નૌરમાં બુધવારના રોજ થયેલી લેન્ડસ્લાઈડમાં 10 લોકોનાં મૃતદેહ મળી આવ્યા.
  • દુર્ઘટનામાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા, તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા.
  • દુર્ઘટનાનો સિકાર બસનો હજી કોઈ પત્તો નથી, મૃત્યુઆંક વધવાની શક્યતા.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kinnaur
કિન્નૌર/શિમલા- હિમચાલ પ્રદેશના કિન્નૌરમાં બુધવારના રોજ થયેલી લેન્ડસ્લાઈડમાં અત્યાર સુધી 10 લોકોનાં મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત 13 લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જો કે દુર્ઘટનાનો શિકાર બનેલી એચઆરટીસીની બસ ઘટનાના કલાકો પછી પણ હજી મળી નથી. અંધારાના કારણે રેસ્ક્યુ ઓપરેશન પણ અટકાવવામાં આવ્યું છે. ગુરુવારે સવારે રેસ્ક્યુ ઓપરેશન ફરી એકવાર શરુ કરવામાં આવશે.
હિમાચલમાં હાઈવે પર ભેખડો ધસી પડતાં 40થી વધુ લોકોનાં મોતની આશંકા
પ્રાપ્ત જાણકારી અનુસાર, હિમાચલના રેકોન્ગ પિઓથી બસ ઉત્તરાખંડના હરિદ્વાર જઈ રહી હતી. બસમાં લગભગ 40 મુસાફરો હતા. રેસ્ક્યુ ઓપરેશનમાં તૈનાત આઈટીબીપીની ટીમ અનુસાર, કિન્નૌરમાં ભૂસ્ખલન વાળા સ્થળની સફાઈ કર્યા પછી પણ બસનો કોઈ પત્તો નથી મળ્યો. ટીમ બસને શોધવા માટે નદી તરફ ગઈ, પરંતુ હજી સુધી સફળતા નથી મળી. માનવામાં આવી રહ્યું છે કે, બસ મળ્યા પછી મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

દુર્ઘટનાનો શિકાર થયેલી બસ કિન્નૌર જિલ્લાના મુખ્યાલય રેકોન્ગ પિઓથી શિમલા થઈને હરિદ્વાર જઈ રહી હતી. બુધવારે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે રેકોન્ગ પિઓથી 61 કિલોમીટર દૂર નિગુલસારી પાસે હાઈવે પર ભૂસ્ખલન થયું. આ લેન્ડસ્લાઈડની ચપેટમાં બસ સહિત અનેક વાહનો આવ્યા હતા. શરુઆતમાં બસમાં સવાર મુસાફરોની સંખ્યાને લઈને કોઈ જાણકારી નહોતી, પછીથી જાણવા મળ્યું કે તેમાં 40 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા.


હિમાચલ પોલીસના આઈજી હિમાંશુ મિશ્રા સતત આ ઘટનીની અપડેટ ટ્વિટ કરીને આપી રહ્યા છે. બુધવારે રાત્રે તેમણે જાણકારી આપી કે, 13 લોકોની સારવાર ચાલી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન અંધારાના કારણે રોકવામાં આવ્યું છે જે ગુરુવારે સવારે શરુ થશે. નેશનલ હાઈવે નંબર પાંચને ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડ્રોનની મદદથી પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. કાટમાળમાં ટાટા સૂમો ગાડીમાં સૌથી વધારે મૃતદેહ મળી આવ્યા છે. આઠ મૃતદેહોની ઓળખ કિન્નૌરના સાંગતા ક્ષેત્રના સપની નિવાસી બે વર્ષીય વંશુકા, મીરા દેવી, નિતીશા, પ્રેમ કુમારી, જ્ઞાન દાસી, દેવી ચંદ્ર તરીકે થઈ છે.

Read Next Story