એપશહેર

વિખેરાયેલા ખેડૂતો ફરી ઉગ્ર આંદોલન કરશે? મુઝફ્ફરનગરથી પગપાળા પહોંચવાનો પ્લાન!

ખેડૂત નેતાએ આંદોલન વિખેરી દેવાનો નિર્ણય લીધા બાદ આંસુઓએ આખી સ્થિતિ બદલી નાખી અને પોતાનો નિર્ણય બદલી નાખ્યો

I am Gujarat 29 Jan 2021, 1:03 pm
મુઝફ્ફરનગર, બાગપત, મેરઠઃ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડ બાદ બનેલા ઘટનાક્રમ પછી ખેડૂતો ઢીલા પડ્યા હોવાની વાત સામે આવી હતી. જોકે, હવે ફરી આંદોલન નવો વળાંક લેશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. દિલ્હીના રસ્તાઓ પરથી લાલ કિલ્લા પર બનેલી ઘટનાએ દેશના લોકોને હચમચાવી દીધા હતા. આવામાં સવાલ ખેડૂત આંદોલનમાં સંકળાયેલા ખેડૂત નેતાઓ પર ઉઠ્યા હતા. હવે આ બધાની વચ્ચે આંદોલનનો નવો પડાવ મુઝફ્ફરનગર છે. ભારતીય કિસાન યુનિયન (BKU)ના પ્રવક્તા રાકેશ ટિકેતની ભાવુક અપીલ બાદ જાટ બેલ્ટમાં ખેડૂતો આરપારની લડાઈ લડવા માટે તૈયાર થઈ રહ્યા છે. અહીં થઈ રહેલી મહાપંચાયતમાં ઘણાં પાડોશી રાજ્યોના ખેડૂતો એકઠા થઈ રહ્યા છે. એવી પણ જાણકારી મળી રહી છે કે ખેડૂતો દિલ્હી પગપાળા માર્ચ કરી શકે છે.
I am Gujarat kisan mahapanchayat ground report from muzaffarnagar
વિખેરાયેલા ખેડૂતો ફરી ઉગ્ર આંદોલન કરશે? મુઝફ્ફરનગરથી પગપાળા પહોંચવાનો પ્લાન!


મુઝફ્ફરનગરથી ગ્રાઉન્ડ રિપોર્ટ

ગાઝિપુર બોર્ડર પર રાકેશ ટિકેતની આંસુએ જિલ્લાનો માહોલ ગરમાવી દીધો છે. ખેડૂતોના દેવતા ગણાતા મહેન્દ્રસિંહ ટિકેતનું જન્મસ્થળ સિસૌલીના ખેડૂતોની રાજધાની ગણાય છે. અહીં રાજકીય ઈન્ટર કૉલેજમાં મહાપંચાયતમાં હવે શક્તિ પ્રદર્શનની તૈયારી થઈ રહી છે. કડક સુરક્ષા વચ્ચે સિસૌલી બજાર બંધ છે. આ બધાની સાથે રાષ્ટ્રીય લોકદળ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓ ખુલીને સમર્થનમાં આવવાથી આંદોલન વધારે ગરમાઈ શકે છે. BKUના પ્રમુખ નરેશ ટિકેતે ખેડૂતોને શાંતિ રાખાવ માટેની સલાહ આપી છે. સિસૌલી મહાપંચાયતમાં ગાઝીપુર બોર્ડરથી ધરણા ઉઠાવવાની જાહેરાત કરનારા નરેશ ટિકેત પણ નાના ભાઈ રાકેશ ટિકેતના ભાવુક થયા બાદ પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે.

વેસ્ટ યુપીના ઘણાં જિલ્લામાં સરહદ પર ફોર્સ તૈનાત છે. ઘણાં ગામોમાં મંદિર-મસ્જિદમાં પણ ખેડૂતોને મહાપંચાયતમાં જોડાવાની અપીલના ઈનપુટ મળી રહ્યા છે. મુઝફ્ફરનગરના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા હરેન્દ્ર મલિકે મહાપંચાયતનું સમર્થન કર્યું છે. મલિકે પોતે રાકેશ ટિકેત સાથે જણાવ્યું અને મહાપંચાયતમાં જોડાવાની વાત કરી.

બીજી તરફ ગાઝિયાબાદ-દિલ્હી ગાઝિપુર બોર્ડર પર પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહના પૌત્ર અને આરએલડી નેતા જયંત ચૌધરી ધરણામાં જોડાવા માટે પહોંચ્યા છે. તેમના પિતા અને આરએલડી સુપ્રીમો ચૌધરી અજીતસિંહે રાકેશ ટિકેતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

Read Next Story