Know Important Facts About Aadhar Card And Uidai News In Gujarati
આધાર વિષે ખબર હશે આ 10 વાત તો કોઈ તમને છેતરી નહિ જાય
Agencies16 Nov 2017, 2:28 pm
મહત્વનો દસ્તાવેજઃ
આધાર કાર્ડ હવે રોજબરોજના જીવન માટે મહત્વનો દસ્તાવેજ બની ગયો છે. બેન્કથી માંડીને ઈન્શ્યોરન્સ પોલીસી સુધી, બધે જ આધાર કાર્ડની જરૂર પડે છે. મોબાઈલ નંબરને પણ આધાર સાથે લિન્ક કરવો ફરજિયાત થઈ ગયો છે. આવા સમયે તમને આધાર કાર્ડ સાથે સંકળાયેલી આ 10 વાત વિષે ખબર હશે તો તમને કોઈ છેતરી નહિ શકે.
આ સમસ્યા હોય તો પણ બની શકે આધારઃ
UIDAIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈ રોગને કારણે તમારી ફિંગર પ્રિન્ટ સ્પષ્ટ ન આવતી હોય તો પણ તમે આધાર કાર્ડ બનાવડાવી શો છો. આ ઉપરાંત તમને આંખની કોઈ બીમારી હોય તો પણ આધાર બનાવવું તમારા માટે ફરજિયાત છે. આ સમસ્યા હશે તો પણ આધાર કઢાવવામાં તમને કોઈ મુશ્કેલી નહિ પડે.
કોઈપણ સમયે બનાવી શકાયઃ
આધાર કાર્ડ તમે કોઈપણ સમયે બનાવડાવી શકો છો. તેના માટે કોઈ સમય-સીમા નથી. પાંચ વર્ષથી નાના બાળકોએ આધાર કઢાવતી વખતે ધ્યાન રાખવું પડે છે. તેમણે પાંચ વર્ષ પછી ફરી બાયોમેટ્રિક્સ કરાવવુ જરૂરી છે. આટલુ કરાવશો તો આધાર હંમેશા વેલિડ જ રહેશે.
આ લોકો માટે જરૂરી નથી આધારઃ
આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે જરૂરી છે. પરંતુ જે લોકો એનઆરઆઈ છે અથવા તો ભારતના પ્રવાસી છે તે આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકતા નથી.
આધાર-લિંક કરવાના ફાયદાઃ
UIDAIએ અવારનવાર જણાવ્યું છે કે આધાર કાર્ડને બેન્ક ખાતા અને મોબાઈલ નંબર સાથે લિન્ક કરવું સુરક્ષિત છે. ઓથોરિટીએ જણાવ્યું કે આધારને સુરક્ષિત કરવાના શક્ય બધા જ પ્રયત્ન કરી રહી છે અને બધાનો આધાર ડેટા સુરક્ષિત છે.
અગત્યની તારીખોઃ
તમારે આધાર કાર્ડને બેન્ક ખાતા અને મોબાઈલ નંબરની સાથે સાથે અન્ય કેટલીય સ્કીમ સાથે લિન્ક કરવાનો છે. બેન્ક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ્સ અને બીજી સ્કીમ્સ સાથે તમારે 31 ડિસેમ્બર પહેલા આધાર લિન્ક કરવુ પડશે. મોબાઈલ સાથે લિન્ક કરવા માટે 6 ફેબ્રુઆરીની છેલ્લી તારીખ આપવામાં આવી છે.
આધાર કાર્ડના સર્વિસ ચાર્જઃ
આધાર કાર્ડ સાથે જોડાયેલી વિવિધ સર્વિસના ચાર્જ નિશ્ચિત છે. આવામાં કોઈપણ વ્યક્તિ તમારી પાસે નિશ્ચિત ચાર્જ કરતા વધારે ચાર્જ વસૂલી ન શકે. ચાર્જીસની જાણ મેળવવા માટે તમે UIDAIની વેબસાઈટ પર જઈને તપાસ કરી શકો છો.
આધાર માટે છે બે એપઃ
ગૂગલ પ્લે સ્ટોર પર તમને હજારો એવી એપ્સ મળી જશે જે તમને આધાર સાથે જોડાયેલી સેવાઓ આપવાનો દાવો કરે છે. પરંતુ તમારે તેમાં ફસાવાની જરૂર નથી. આધાર માટે તમે m-Aadhar અને Umang એપ ડાઉનલોડ કરી શકો છો.
OTP શેર ન કરવોઃ
જ્યારે પણ તમે આધાર કાર્ડમાં કોઈ બદલાવ કરવા માંગતા હોવ તો તમારા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ આવે છે. આ OTP નાંખ્યા પછી તમે પોતાની આધાર ડિટેલ્સમાં જરૂરી બદલાવ કરી શકો છો. જો આ ખોટા હાથમાં જતો રહ્યો તો તમારી આધાર ડિટેઈલ ચોરી થઈ શકે છે. આવામાં આ નંબર કોઈપણ એજન્સી કે વ્યક્તિ સાથે શેર ન કરો.
આધારને કારણે મળશે આ ફાયદોઃ
આજો તમે આધાર કાર્ડને રેલવેના પોર્ટલ IRCTC સાથએ લિન્ક કર્યું હશે તો તમે મહિનામાં 12 ટિકિટ બુક કરાવી શકશો. આધાર ન હોય તેવા લોકો 1 મહિનામાં 6 ટિકિટ જ બુક કરાવી શકે છે.
આ પોર્ટલ યાદ રાખોઃ
આધારમાં નોંધાવેલુ એડ્રેસ ચેન્જ કરાવવા માંગો છો કે પછી આધાર એનરોલમેન્ટ સેન્ટર વિષે જાણ મેળવવા માંગો છો તો તમને uidai.gov.in પોર્ટલ પરથી અવશ્ય માહિતી મળી જશે. અહીં તમને આધાર સાથે જોડાયેલી બધી જ સુવિધાઓ અંગે જાણકારી મળી જશે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.