એપશહેર

દિલ્હીમાં આ કારણે વધી રહ્યા છે કોરોનાના કેસ, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 185220 કેસ નોંધાયા.

I am Gujarat 5 Sep 2020, 10:33 pm
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ફરી એકવખત કોરોના વાયરસના કેસમાં ભારે વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આર્થિક ગતિવિધિ શરૂ થતા, ટેસ્ટ વધતા અને જાહેર સ્થળોએ સુરક્ષાના નિયમનો ભંગ થતા કોરોનાના કેસ વધ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 4 દિવસથી દરરોજ કોરોનાના સતત 2,000 કરતા વધુ કેસ આવી રહ્યા છે. શુક્રવારે કોરોનાના 2,914 કેસ નોંધાયા હતા. અહીં નોંધનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 185220 કેસ નોંધાયા છે. જ્યારે 4513 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. ત્યાં અત્યાર સુધીમાં 161865 દર્દીઓ સાજા થયા છે
I am Gujarat w10


દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસ અન લોકડાઉનની આશંકા સંબંધિત સવાલ પર એક અધિકારીએ જણાવ્યું કે ટેસ્ટિંગ વધતા કોરોનાના કેસમાં વધારો થયો છે. પણ, અહીં ફરી લોકડાઉનની કોઈ સંભાવના નથી. મેડિકલ નિષ્ણાતોએ અગાઉ પણ કોરોનાના કેસ વધવાની આશંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે લોકો જાહેર સ્થળોએ માસ્ક પહેર્યા વિના જોવા મળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતું જોવા મળતા કોરોનાના કેસ વધી શકે છે. સાથે એવું પણ શક્ય નથી કે અર્થવ્યવસ્થાને હંમેશાં માટે બંધ રાખી શકાય.

લોકોએ એ વાત સમજવાની જરૂર છે કે દેશની અર્થવ્યવસ્થા ચાલુ થાય તે માટે લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. એનો મતલબ એવો નથી કે લોકો પહેલાની માફક કારણ વિના ઘરની બહાર નીકળે અને હરવા-ફરવા લાગે. જે લોકો માસ્ક પહેર્યા વિના બહાર ફરી રહ્યા છે તેઓ પોતાનો અને પરિવારનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. યુવાનોને ખાસ વિનંતી છે કે તેઓ કારણ વિના બહાર નીકળે નહીં અને જો બહાર નીકળે તો માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો