એપશહેર

બિહારઃ નીતીશ સરકારના શપથ ગ્રહણ પહેલા જાણો કોણ કોણ બનશે મંત્રી

નીતીશ કુમાર સાતમી વખત બિહારના મુખ્યમંત્રી બનશે. ડેપ્યુટી સીએમ માટે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીના નામ ફાઇનલ

I am Gujarat 16 Nov 2020, 4:08 pm
બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં નવી સરકારની રચના કરવામાં આવી રહી છે. આજે સાંજે 4.30 વાગ્યે રાજભવન ખાતે શપથવિધિ યોજવામાં આવી રહી છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણ નવા મુખ્ય પ્રધાનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. નીતીશ કુમાર સાતમી વખત બિહારના મુખ્યમંત્રી બનશે. ડેપ્યુટી સીએમ માટે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીના નામ ફાઇનલ થઈ ગયા છે. શપથ સમારોહમાં ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે. આરજેડી નેતા તેજસ્વી યાદવ શપથ સમારોહમાં ભાગ લેશે નહીં.
I am Gujarat know who will become ministers before nitish sarkars swearing see the full list
બિહારઃ નીતીશ સરકારના શપથ ગ્રહણ પહેલા જાણો કોણ કોણ બનશે મંત્રી


આ સિવાય નિતિશ કુમારના મંત્રી મંડળમાં કોને કોને જગ્યા મળી શકે છે.
જેડીયુ નેતાઓ
-વિજય ચૌધરી
-વિજેન્દ્ર યાદવ
-અશોક ચૌધરી
-મેવાલાલ ચૌધરી
-શીલા મંડળ

ભાજપ નેતાઓ
-તારકીશોર પ્રસાદ- ડેપ્યુટી સીએમ
-રેણુ દેવી- ડેપ્યુટી સીએમ
-મંગલ પાંડે
-રામપ્રીત પાસવાન
-નંદ કિશોર યાદવ- સ્પીકર

'હમ' પાર્ટીના નેતા
સંતોષ માંઝી

'VIP' પાર્ટીના નેતા
મુકેશ સહની

મુકેશ સાહનીએ ટ્વીટ કરીને આ માહિતી આપી અને આ સંદર્ભે રાજભવનનો પત્ર પણ શેર કર્યો હતો. સહાનીએ કહ્યું, “હું માનનીય મુખ્ય પ્રધાન નીતીશ કુમારના પ્રધાનમંડળમાં જોડાઉં છું. આ બધા વીઆઈપી કાર્યકરો અને બિહારના લોકોનો વિજય છે. "તેમણે કહ્યું," મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન અમિત શાહ અને એનડીએના તમામ નેતાઓનો અમને કેબિનેટમાં સમાવેશ કરવા બદલ તેમનો આભાર. "

Read Next Story