એપશહેર

કોલકાતા: પોલીસ વાનને આગ ચાંપી, ભાજપે પોતાના માણસો હોવાનો કર્યો ઈનકાર

કોલકાતા (Kolkata)માં ભાજપ (BJP) દ્વારા મંગળવારે ભ્રષ્ટાચારના વિરોધમાં સચિવાલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘણી જગ્યાએ હિંસક અથડામણો થઈ હતી. આ દરમિયાનનો એક વિડીયો યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બીએસ શ્રીનિવાસને ટ્વિટ કર્યો છે, જેમાં ભગવા કલરનું ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિને પોલીસ વાનને આગ ચાંપતી જોઈ શકાય છે. જોકે, ભાજપે એ વ્યક્તિ પોતાના પક્ષનો હોવાનો ઈનકાર કર્યો છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 14 Sep 2022, 6:51 pm

હાઈલાઈટ્સ:

  • પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.
  • કોલકાતા હાઈકોર્ટે આ હિંસા મામલે મમતા સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે.
  • હિંસા માટે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Violance in Kolkata
કોલકાતામાં મંગળવારે યોજાયેલી ભાજપની ભ્રષ્ટાચાર વિરોધી રેલી દરમિયાન હિંસા થઈ હતી. આ દરમિયાન ભગવા કલરનું ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિ પોલીસ વાનને આગ ચાંપતી હોવાનો વિડીયો કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયો છે.
કોલકાતા: કોલકાતા (Kolkata)માં ભાજપ (BJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ હતી. તો, આ હિંસાને લઈને હવે વિપક્ષો ભાજપ પર નિશાન સાધવામાં લાગી ગયા છે. યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બીએસ શ્રીનિવાસને એક ક્લોઝ અપ વિડીયો ટ્વિટ કર્યો છે, જેમાં ભગવા કલરનું ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિને લાઈટરથી પોલીસ વાનમાં રાખેલા એક રૂમાલને આગ ચાંપતી જોઈ શકાય છે. આ વિડીયો ટ્વિટ કરતા બીએસ શ્રીનિવાસને લખ્યું કે, 'જરા ઓળખો, આ કઈ પાર્ટીના 'રાષ્ટ્રવાદી તોફાનીઓ' પશ્ચિમ બંગાળમાં પોલીસ જીપ સળગાવી રહ્યા છે?' ઉલ્લેખનીય છે કે, કોલકાતા હાઈકોર્ટે મંગળવારે થયેલી આ હિંસા મામલે મમતા સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે.
તેમણે બીજો એક વિડીયો પણ ટ્વીટ કર્યો હતો, જેમાં એક વ્યક્તિએ ભાજપનો ઝંડો હાથમાં પકડેલો છે અને પોલીસ વાનમાં તોડફોડ કરી રહી છે. તેમણે પીએમ મોદીના અગાઉના નિવેદનો પર કટાક્ષ કરતા કહ્યું કે, 'મને વિશ્વાસ છે કે વડાપ્રધાન તોફાનીઓના કપડાં, ઝંડા જોઈને તેમને ઓળખી લેશે અને દિલથી ક્યારેય માફ નહીં.
રાહુલ ગાંધી 'ભારત જોડવા' નીકળ્યા અને આ તરફ ગોવામાં તૂટી ગઈ કોંગ્રેસ, 11માંથી 3 MLA બચ્યા

ભાજપે આરોપો ખોટા હોવાનું જણાવ્યું
જોકે, ભાજપે આ આરોપોને ખોટા હોવાનું જણાવ્યું છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, 'પોલીસ તે જાતે કરી શકે છે. અમારા કાર્યકર્તાઓ પાસે કોઈ હથિયાર ન હતા. બની શકે કે, તૃણમૂલ કોંગ્રેસના જેહાદીઓએ આવીને હિંસાને અંજામ આપ્યો હોય.' પાર્ટીએ દાવો કર્યો કે, પોલીસે ઉશ્કેરતા હિંસા શરૂ થઈ હતી.
20 અબજ ડોલરનો પ્રોજેક્ટ ગુજરાતમાં આવતા મહારાષ્ટ્રમાં શરુ થઈ મોટી રાજકીય બબાલ
ભાજપે મંગળવારે ભ્રષ્ટાચારના વિરોધમાં યોજી હતી રેલીમંગળવારે ભાજપ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દા પર સચિવાલય સુધી રેલી યોજવામાં આવી હતી. તેને લઈને મોટી સંખ્યામાં રાજ્યના અલગ-અલગ ભાગોમાંથી કાર્યકર્તાઓ કોલકાતા પહોંચ્યા હતા. તો, પોલીસે આ રેલીને રોકવા માટે ચુસ્ત વ્યવસ્થા કરી હતી. જે ક્રમમાં ઘણી જગ્યાએ પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણો થઈ હતી. ઘણી જગ્યાએ કાર્યકર્તા આગચંપી, તોડફોડ અને પથ્થરમારો કરતા દેખાયા, તો ઘણી જગ્યાએ પોલીસ પણ કડક વલણ અપનાવતી જોવા મળી. પોલીસે શુભેન્દુ અધિકારી સહિત ઘણા નેતાઓની અટકાયત કરી હતી. જોકે, મોડી રાત્રે તેમને છોડી દેવાયા હતા.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story