એપશહેર

કોઝિકોડ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા પાઈલટની પત્નીને છેલ્લો મહિનો જાય છે, ઘરે માતમનો માહોલ

મૃતકોમાં પ્લેન ઉડાવી રહેલા બંને પાઈલટ્સનો પણ સમાવેશ, અત્યારસુધીમાં કુલ 18 લોકોએ દમ તોડ્યો

I am Gujarat 8 Aug 2020, 3:24 pm
કોઝિકોડ: ગઈકાલે કેરળના કોઝિકોડ એરપોર્ટ પર ક્રેશ થઈ ગયેલા એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્લેનના કો-પાઈલટ અખિલેશના ઘેર માતમનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં પ્લેનના મુખ્ય પાઈલટ કેપ્ટન દીપક સાઠેનું પણ મોત થયું છે. મૃતક અખિલેશ કુમાર 33 વર્ષની ભરયુવાનીમાં મોતને ભેટ્યા છે, અને તેમની પત્ની મેઘાને હાલ છેલ્લો મહિનો જાય છે. દસ દિવસમાં મૃતક પાઈલટની પત્ની બાળકને જન્મ આપવાની છે.
I am Gujarat akhilesh kumar



એર ઈન્ડિયા દ્વારા ચલાવાઈ રહેલા વંદે ભારત મિશનમાં અખિલેશ પણ વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દેશમાં લાવવાની કામગીરીમાં સામેલ હતા. તેમના કઝિન વાસુદેવ કુમારે ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે અખિલેશ ખૂબ જ વિવેકી વ્યક્તિ હતા. તેમના પત્નીને 15-17 દિવસમાં ડિલિવરી થવાની છે. અખિલેશ 2017માં એર ઈન્ડિયામાં જોડાયા હતા, અને લોકડાઉન પહેલા તેઓ ઘરે આવ્યા હતા.

ગઈકાલે જે પ્લેન એરપોર્ટના રનવે પરથી લપસીને ખાઈમાં પડ્યા બાદ બે ટૂકડામાં વહેચાઈ ગયું હતું તેમાં 190 લોકો સવાર હતા. જેમાં 174 વયસ્કો, 10 બાળકો, 4 કેબિન ક્રુ અને 2 પાઈલટનો પણ સમાવેશ થાય છે. અત્યારસુધી આ ઘટનામાં 18 લોકોનાં મોત થયા છે, જેમાં બંને પાઈલટનો પણ સમાવેશ થાય છે.


પ્લેનના મુખ્ય પાઈલટ દીપક સાઠે પહેલા એરફોર્સમાં પાઈલટ હતા, અને તેઓ મિગ 21 ફાઈટર જેટ પણ ઉડાવી ચૂક્યા છે. ખૂબ જ અનુભવી એવા દીપક સાઠે એરફોર્સની નોકરી છોડી એર ઈન્ડિયાામાં જોડાયા હતા. તેમના મોત અંગે જાણ થતા તેમના પરિવારજનો પણ શોકમાં સરી પડ્યા હતા. તેમના વયોવૃદ્ધ માતાએ જણાવ્યુ હતું કે દીપક ખૂબ જ સારા વ્યક્તિ હતા, અને બીજા લોકોની મદદ કરવા તે હંમેશા આગળ રહેતા. તેમને ભણાવનારા શિક્ષકો પણ તેમના વખાણ કરતા હતા.

Pics: જુઓ, કેવું ભયાનક હતું કોઝિકોડ એરપોર્ટ પર થયેલું પ્લેન ક્રેશ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો