એપશહેર

ઈજાગ્રસ્ત સૈનિકોએ જણાવી દગાખોર ચીનની પૂરી હકીકત, આ રીતે છુપાઈને કર્યો વાર

Mitesh Purohit | Navbharat Times 17 Jun 2020, 1:49 pm
I am Gujarat ladakh stand off chinese army hunted down indian troops in galwan valley say survivors like covert attack
ઈજાગ્રસ્ત સૈનિકોએ જણાવી દગાખોર ચીનની પૂરી હકીકત, આ રીતે છુપાઈને કર્યો વાર


દગાખોર ચીનની મેલી મુરાદ

નવી દિલ્હીઃ દગાખોર ચીને સોમવારે રાત્રે ગલવાન ખીણ વિસ્તારમાં ભારતીય સૈનિકો પર ઘાત લગાવીને હુમલો કર્યો. આ માટે લુચ્ચા ચીની સૈનિકો પહેલાથી જ તૈયારી કરીને આવ્યા હતા. તેમણે લોખંડના રોડ પર કાંટાળા તાર બાંધ્યા હતા અને પછી અચાનક જ ભારતીય જવાનો પર તૂટી પડ્યા હતા. આ ઘટનામાં ભારતીય સેનાની 16 બિહાર રેજિમેન્ટના જવાબો અને કમાંડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત 23 જવાનો શહીદ થયા છે. આ સંઘર્ષમાં ભારતે પણ તાત્કાલિક ચીની દગાખોર સૈનિકોને જડબાતોડ જવાબ આપતા ચીનના 40થી પણ વધુ સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર ભારતના વળતા જવાબમાં આ ચીની ટુકડીનો કમાંડિંગ ઓફિસર પણ આ ઘટનામાં માર્યો ગયો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

હત્યારા ચીની સૈનિકોની ઘૃણાસ્પદ હરકત

અંગ્રેજી વેબસાઈટ ન્યુઝ 18 મુજબ લેહની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ભારતીય ઈજાગ્રસ્ત જવાનોની સ્થિતિ અંગે જાણકાર એક ઉચ્ચ અધિકારીના હવાલેથી લખવામાં આવ્યું છે કે હત્યારા ચીની સૈનિકો સંઘર્ષ સ્થળે પહેલાથી જ છૂપાઈને બેઠા હતા. તેમણે પહાડની આડાશ લઈને ભારતીય સૈનિકો પર પથ્થોથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ભારતીય સૈનિકો પર લોખંડના ડંડાથી તૂટી પડ્યા પરંતુ ભારતીય જવાનોએ પણ ઓછી સંખ્યામાં હોવા છતા ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો. બંને પક્ષના સૈનિકો હાથાપાયીમાં ખીણ તરફ ચાલ્યા ગયા હતા અને જેના કારણે ઘણા ચીની જવાન નીચે ખીણમાં પણ પડી ગયા હતા.

શહીદોની સંખ્યા વધી શકે છે

સૂત્રોએ જણાવ્યું કે આ સંઘર્ષમાં બે ડઝન જેટલા સૈનિકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને લગભગ 110 સૈનિકોને સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે જાણકાર એક સૈન્ય અધિકારીએ કહ્યું કે શહીદોની સંખ્યા હજુ વધી શકે છે.

પેટ્રોલ પોઇન્ટ 14 માટે જીદ પર અડ્યું છે ચીન

કર્નલ સંતોષ બાબુએ ભારત-ચીન વચ્ચે ગત સપ્તાહમાં નક્કી થયા મુજબ પેટ્રોલ પોઇન્ટ 14 નજીક ચીની સેનાના અસ્થાયી ટેન્ટને દૂર કરવા માટે કહ્યું હતું. ચુશૂલમાં બંને દેશોના જનરલ વચ્ચે થયેલી બેઠકમાં આ વિસ્તારને ખાલી કરવા માટે સહમતી બની હતી. તેમ છતા ચીની સૈનિકો આ વિસ્તારમાંથી પાછળ હટતા નહોતા. જે વિસ્તાર ભારતીય સીમાની અંદર આવે છે. ચીની સૈનિકોએ આ ટેન્ટ ખાલી કરવાની ના પાડી દીધી. જે બાદ રવિવારે ચીની સૈનિકો દ્વારા પથરાવ કરવામાં આવ્યો. જે બાદ સોમવારે આ ખૂની સંઘર્ષ ખેલાયો.

મોટા-મોટા પથ્થરોથી હુમલો

સૂત્રોએ જણાવ્યું કે પોઇન્ટ 14 પર ઉંચાઈ પર રહેલા ચીની સૈનિકોએ મોટા મોટા પથ્થરો વડે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો. ભારતીય સૈનિકોએ ચીની હત્યારાઓનો બહાદૂરી સાથે સામનો કર્યો અને જડબાતોડ જવાબ આપ્યો. જોકે આ હુમલામાં ભારતીય સૈનિકો પાસે કોઈ પૂરતી સૂરક્ષાનો મોકો નહોતો.

ચીનના 40 સૈનિકોના મોત

ભારતીય સૈન્ય અધિકારીઓએ કહ્યું કે ચીની સૈન્ય દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જવાનોના મૃતદેહોને સોમવારે સોંપવામાં આવ્યા. જોકે આ સંઘર્ષમાં ચીની સૈનિકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં માર્યા ગયા છે પરંતુ ચીન આ અંગેના આંકડા જાહેર કરતું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો