એપશહેર

Lalu Yadavને દીકરી રોહિણીએ આપી કિડની, તેજસ્વીએ જણાવ્યું ટ્રાન્સપ્લાન્ટ પછી કેવી છે બન્નેની તબિયત

Lalu Prasad Yadav Kidney Transplant :સિંગાપોરમાં લાલુ પ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. સર્જરી પછી તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લાલુના દીકરી રોહિણીએ પિતાને કિડની ડોનેટ કરી છે. તેજસ્વીએ જણાવ્યું કે અત્યારે બન્નેની તબિયત સારી છે. રોહિણીએ સર્જરી પહેલા લોકોને અપીલ કરી હતી કે પિતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે.

Edited byZakiya Vaniya | I am Gujarat 5 Dec 2022, 4:55 pm
National News : લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav) પાછલા ઘણાં સમયથી બીમાર હતા. તેમને કિડનીને લગતી સમસ્યા હતી, પરંતુ તેમના મોટા દીકરી રોહિણી આચાર્યએ(Rohini Acharya) કિડની ડોનેટ કરવાની પહેલ કરી હતી. તેઓ સારવાર માટે સિંગાપોર ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, આખરે લાલુ પ્રસાદ યાદવનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. આ અપડેટ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવે આપી છે. સર્જરી પછી બન્ને સ્વસ્થ છે.
I am Gujarat lalu yadav
રોહિણીએ ઓપરેશન પહેલા શેર કરી હતી તસવીર.


તેજસ્વી યાદવે ટ્વિટર પર વીડિયો શેર કરીને લખ્યું કે, પાપાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. તેમને ઓપરેશન થિયેટરમાંથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોનર મોટા બહેન રોહિણી આચાર્ય અને પિતા બન્ને સ્વસ્થ છે. તમારી પ્રાર્થનાઓ અને દુઆ માટે આભાર.


તમને જણાવી દઈએ કે રોહિણી આચાર્યએ પણ ગઈકાલે ઘણાં ટ્વિટ કર્યા હતા. તેમણે લખ્યું કે, જેમણે લાખો-કરોડો લોકોને અવાજ આપ્યો, તેમના માટે આજે બધા મળીને પ્રાર્થના કરજો. અન્ય એક પોસ્ટમાં રોહિણીએ લાલુ પ્રસાદ યાદવના બે ફોટો શેર કર્યા છે. આ સાથે લખ્યું છે કે, તમે સાજા હોવ એ જ મારા માટે ઘણું છે. તમે જ મારું જીવન છો. રોહિણીએ અન્ય એક તસવીર પણ શેર કરી છે જેમાં તે હોસ્પિટલ પથારી પર સુઈ રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, લાલુ યાદવના બન્ને દીકરા અને મોટા દીકરી મીસા ભારતી પતિ સાથે સિંગાપોરમાં હાજર છે.


ઉલ્લેખનીય છે કે લાલુ યાદવ સાત બાળકોના પિતા છે. જ્યારે ડોક્ટરોએ જણાવ્યું કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી, તો રોહિણી આચાર્યએ કિડની ડોનેટ કરવાની પહેલ કરી હતી. લાલુ યાદવે પહેલી વાર સાંભળીને જ ઈનકાર કરી દીધો હતો. ઘણા સમજાવવામાં આવ્યા ત્યારપછી તેઓ દીકરી પાસેથી કિડની લેવા માટે તૈયાર થયા હતા. ઉલ્લેખનીય છે કે રોહિણી આચાર્ય ડોક્ટર છે. MBBS સમાપ્ત થાય એ પહેલા જ તેમના લગ્ન થઈ ગયા હતા. તેમના પતિ સમરેશ સિંહ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. લગ્ન સમયે તે અમેરિકામાં નોકરી કરતા હતા, પરંતુ અત્યારે તે સિંગાપોરમાં સેટલ છે.

Read Next Story