એપશહેર

જુઓ, આ હોસ્પિટલમાં એડમિટ કોરોના દર્દીઓ સુધી કઈ રીતે પહોંચાડાઈ રહ્યો છે દારુ!

યુપીના લલિતપુર જિલ્લાના એક ગામમાં કોરોના દર્દીઓ આરામથી હોસ્પિટલની છત પર ફરતા જોવા મળી રહ્યા છે.

I am Gujarat 13 Sep 2020, 6:44 pm
લલિતપુર: ઉત્તર પ્રદેશમાં ગુંડારાજ ચાલતું હોવાના આરોપો તો સતત લાગતા રહે છે અને તેવી ઘટનાઓ અવાર-નવાર સામે પણ આવતી રહી છે. વળી, ઉત્તર પ્રદેશ દબંગો માટે પણ એટલું જ જાણીતું છે. અહીં કાયદાનું પાલન કરાવવું સરકાર અને પોલીસ માટે ઘણું કપરું કામ છે. કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર આકાશપાતાળ એક કરી રહી છે, પણ લોકો છે કે કોરોનાને ગંભીરતાથી લેતા ન હોવાની વધુ એક ઘટના ઉત્તર પ્રદેશમાંથી બહાર આવી છે. અહીં એક હોસ્પિટલમાં બનાવાયેલા અસ્થાયી કોરોના વોર્ડમાં દાખલ કરાયેલા દર્દીઓ સુધી બેરોકટોક દારુ પહોંચાડાઈ રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે.
I am Gujarat Corona in UP
યુપીની કોરોના હોસ્પિટલમાં નિયમોનો છડેચોક થઈ રહ્યો છે ભંગ, દર્દીઓ સુધી પહોંચાડાઈ રહ્યો છે દારુ!


ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના ટેકરી ગામમાં અસ્થાયી કોવિડ-19 એલવન હોસ્પિટલ બનાવાયું છે. અહીંનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કોરોના કેટલાક દર્દીઓ દોરડાની મદદથી સામાન ઉપર ખેંચતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં, આ દર્દીઓના પરિવારજનો ખાવા-પીવાની વસ્તુઓ લઈને હોસ્પિટલમાં આવે છે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોવાથી તેઓ એકબીજાને મળી શકતા નથી. એટલે, દર્દીઓ દોરડાની મદદથી સામાન ઉપર ખેંચે છે. એ દરમિયાન કેટલાક લોકોનું કહેવું છે કે, કેટલાક દર્દીઓ સુધી દારુ પણ આ રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ મામલા સંબંધિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રવિવારે સીએમઓએ તપાસ માટે પોલીસને મોકલી હતી. કોવિડ દર્દીઓના આઈસોલેશન માટે લલિતપુરના ટેકરી ગામમાં પોલિટેકનિક કોલેજમાં અસ્થાયી હોસ્પિટલ બનાવાઈ છે. આ હોસ્પિટલમાં એડમિટ દર્દીઓ છત પર ફરતા જોવા મળે છે. ગત મંગળવારથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં હોસ્પિટલની છત પર કેટલાક દર્દીઓ ફરી રહ્યા છે. તો, એક દર્દી છત પરથી દોરડું નીચે ફેંક છે અને નીચે રહેાલ લોકો તેમાં કેટલોક સામાન બાંધે છે. પછી કોરોના દર્દી તેને ઉપર ખેંચી લે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, દર્દીઓને તેમના સંબધીઓ કે મિત્રો દારુ પહોંચાડે છે. તો, વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચીફ મેડિકલ ઓફિસર ડો. પ્રતાપ પટેલે જણાવ્યું કે, હોસ્પિટલની સુરક્ષાની જવાબદારી પોલીસની છે. પોલીસ તૈનાત પણ કરાઈ છે. આ સામગ્રી દર્દીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે, તેની તપાસ માટે પોલીસને કહેવાયું છે. તપાસ બાદ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે.

Read Next Story