એપશહેર

કોરોના અંગે PMની ઉચ્ચ સ્તરીય બેઠક, કહ્યું- ગામડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

કોરોનાની હાઈ લેવલ મિટીંગમાં બોલ્યા પીએમ મોદી- રાજ્ય સરકારો કોરોનાના આંકડા ન છૂપાવે, ગામડાઓમાં ડોર-ટૂ-ડોર ટેસ્ટિંગ અને સર્વેલન્સ પર ઘ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

I am Gujarat 15 May 2021, 4:36 pm

હાઈલાઈટ્સ:

  • કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર પીએમ મોદીએ કરી હાઈ લેવલ મિટીંગ
  • અધિકારીઓએ ઘટતા પોઝિટિવિટી રેટ, વધતા રિકવરી રેટ વિશે પણ જણાવ્યું
  • પીએમ મોદીએ કહ્યું- સ્થાનિક સ્તર પર કન્ટેન્મેન્ટની વ્યૂહરચના બનાવવી જરૂરી
  • PM મોદીએ ગ્રામીણ વિસ્તારોમાં સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ જણાવ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 15
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે સ્થાનિક સ્તરે કન્ટેનમેન્ટની વ્યૂહરચના દ્વારા કોવિડ -19 સંક્રમણની ચેઈન તોડી શકાય છે. તેમણે શનિવારે ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિકારીઓને આ દિશામાં કામ કરવા જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, જે રાજ્યોના જિલ્લાઓમાં પોઝિટિવિટી દર વધારે છે, ત્યાં આ પદ્ધતિ અપનાવવી પડશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદીએ હાઈ પોઝિટિવિટીવાળા વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવા પણ નિર્દેશ આપ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, આરટી-પીસીઆર અને રેપિડ ટેસ્ટ્સ દ્વારા ટેસ્ટિંગ ઝડપી બનાવવું જોઈએ. તેમણે અધિકારીઓને કહ્યું કે, તેઓ કોઈ પણ દબાણ વિના રાજ્યોને રોગચાળાના સચોટ આંકડા જણાવવા પ્રોત્સાહિત કરે. વડાપ્રધાને ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવા પર ભાર મૂક્યો અને કહ્યું કે ઘરે-ઘરે પરીક્ષણ અને સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કોરોના મહામારીનું બીજું વર્ષ ઘાતક હશે, WHO ચીફે ભારતને લઈને કહી મોટી વાતગામડાઓ માટે સરળ ભાષામાં ગાઈડલાઈન્સ: પીએમ
વડાપ્રધાન મોદીએ આશા અને આંગણવાડી કાર્યકરોને તમામ જરૂરી ચીજો પૂરા પાડવા જણાવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં હોમ આઈસોલેશન અને સારવાર માટે સરળ ભાષામાં ચિત્રો સાથે માર્ગદર્શિકા પ્રદાન કરવા નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ઓક્સિજન સપ્લાયની ખાતરી કરવા માટે એક વિતરણ યોજના તૈયાર થવી જોઈએ, જેમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની જોગવાઈ પણ શામેલ હોય.

કેન્દ્ર દ્વારા અપાયેલા વેન્ટિલેટરનું ઓડિટ કરાશે
મોદીએ કેટલાક રાજ્યોમાં ધૂળ ખાતા વેન્ટિલેટર્સના અહેવાલો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તત્કાળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ વેન્ટિલેટરના ઈન્સ્ટોલેશન અને ઓપરેશનનું ઓડિટ કરવાનું કહ્યું છે.
ભારતમાં કોરોનાના નવા કેસ 3.5 લાખની નીચે નોંધાયા, 24 કલાકમાં 4,000નાં મોતઅધિકારીઓએ પીએમ મોદીને શું કહ્યું?વડાપ્રધાનને માહિતી આપવામાં આવી હતી કે માર્ચની શરૂઆતમાં દેશમાં કોવિડ -19 ટેસ્ટ દર અઠવાડિયે 50 લાખ હતા, જે હવે વધીને દર અઠવાડિયે 1.3 કરોડ થઈ ગયા છે. અધિકારીઓએ ઘટી રહેલા ટેસ્ટ પોઝિટિવિટી રેટ અને વધતા જતા રિકવરી રેટ વિશે પણ વડાપ્રધાનને માહિતગાર કર્યા. વેક્સિનેશન પ્રક્રિયા અંગે પણ મોદીને અપડેટ આપવામાં આવ્યું. આગામી સમયમાં રસી કેવી રીતે ઉપલબ્ધ કરાશે તેના માર્ગદર્શિકા પર પણ વધુ ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીએ રસીકરણની ગતિ વધારવા માટે અધિકારીઓને રાજ્યો સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો