એપશહેર

બિહારમાં આ તારીખ સુધી ફરી લંબાવાયું લોકડાઉન, રાત્રિ કર્ફ્યૂ પણ યથાવત

6 સપ્ટેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત સાથે બિહારમાં લોકડાઉનમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે. ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. શોપિંગ મોલ્સ, સિનેમા હોલ પણ હજી ખુલશે નહીં. પાર્ક અને જીમ પણ બંધ રહેશે. રાત્રિનું કર્ફ્યુ ચાલુ રહેશે.

Navbharat Times 17 Aug 2020, 2:54 pm
પટણા: બિહારની નીતીશ કુમાર સરકારે બિહારમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ વખતે લોકડાઉન 17 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રહેશે. અગાઉ, રાજ્ય સરકારે 30 જુલાઇથી 16 ઓગસ્ટ સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેનો સમયગાળો રવિવારે સમાપ્ત થઈ ગયો છે. જે બાદ દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા કે લોકડાઉન વધારવામાં આવશે કે અનલોની ઘોષણા કરવામાં આવશે. જોકે, રાજ્ય સરકારે ફરીથી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે.
I am Gujarat 14

આજે એટલે કે સોમવારે ગૃહ વિભાગની બેઠકમાં બિહાર સરકાર દ્વારા 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનની જાહેરાત સાથે બિહારની શાળાઓ અને કોલેજો બંધ રહેશે. ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. શોપિંગ મોલ્સ, સિનેમા હોલ પણ હજી ખુલશે નહીં. ધંધાકીય પ્રવૃત્તિઓમાં થોડી રાહત મળશે, પરંતુ પાર્ક અને જીમ પણ બંધ રહેશે. જોકે નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો