એપશહેર

હૈદરાબાદના નિઝામના 332 કરોડ કોને મળશે? આવી ગયો ચુકાદો

લગભગ 7 દાયકાથી લંડનની બેંકમાં અટકેલા નિઝામના રૂપિયા કોને મળશે તેના પર લંડનની હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે. કુલ 120 લોકોએ આ રૂપિયા પર દાવો કર્યો હતો.

TNN 23 Jul 2020, 4:21 pm
હૈદરાબાદ: લગભગ 7 દાયકાથી લંડનની બેંકમાં અટકેલા નિઝામના રૂપિયા હવે સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનના પૌત્રો મુકર્રમ જાહ, મુફ્ફખમ જાહ અને ભારત સરકારને મળશે. લંડન હાઈકોર્ટે બુધવારે હૈદરાબાદ સ્ટેટના બાકી દાવેદારોના દાવાને ફગાવી દીધા. કુલ 332 કરોડ રૂપિયાની સંપત્તિની વહેંચણી થવાની છે, જેનો કેસ લાંબા સમયથી ચાલી રહ્યો છે.
I am Gujarat Nizam of Hyderabad
હૈદરાબાદના નિઝામ કે જેમના રૂપિયાને લઈને ચાલી રહ્યો હતો વિવાદ.


છેલ્લા નિઝામના પૌત્ર નજફ અલી ખાન સહિત કુલ 120થી વધુ લોકોએ દાવો કર્યો હતો કે, આ રૂપિયામાં તેમને તેમનો હક મળવો જોઈએ. આ લોકોએ ફરિયાદ કરી હતી કે, ભારત સરકાર અને નિઝામના અન્ય બ પૌત્રો વચ્ચે થયેલી ગુપ્ત સમજૂતીમાં રૂપિયા વહેંચાઈ ગયા છે. આ દાવાને લંડન હાઈકોર્ટે પાયામાંથી ફગાવી દીધો છે. ગત વર્ષે લંડનની હાઈકોર્ટે આ રૂપિયા પર પાકિસ્તાનનો દાવો ફગાવી દીધો હતો અને નિઝામના બે વંશજોની સાથે-સાથે ભારત સરકારને પણ તેની ભાગીદાર માની હતી.

નિઝામ ફેમિલી વેલફેર એસોસિએશનની આગેવાની કરી રહેલા નજફ અલી ખાને પણ આ રૂપિયા પર પોતાનો દાવો કર્યો હતો. લંડન હાઈકોર્ટના નિર્ણય બાદ તેમણે કહ્યું કે, મને અને 116 અન્ય વંશજોને બિલકુલ સમજાતું નથી કે ભારત સરકાર અને નિઝામના બે વંશજો વચ્ચે આ રૂપિયા કયા આધાર પર વહેંચવામાં આવ્યા. તેમણે એમ પણ કહ્યું કે, જજે આ ચુકાદા પર ફરીથી વિચાર કરવો જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો