રાજસ્થાનમાં નગર પાલિકા દ્વારા સિરોહી ટાઉનમાં આયોજિત હિન્દુ ઉત્સવ દશેરામાં ત્યાં ઉપસ્થિત સૌ કોઈ લોકો ત્યારે હેરાન થઈ ગયા જ્યારે ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા શખ્સે રાવણના પૂતળા પર તીર ચલાવવાની મનાઈ કરી દીધી. આ દરમિયાન રામનું પાત્ર ભજવી રહેલા મનોજ કુમાર માળીએ મોદી સરકાર પર વિકાસ ન કરવાનો આરોપ લગાવ્યો. માળીએ ત્યાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના મંડળ અધ્યક્ષ સુરેશ સાગરવંશીને દાનવ રાજા કહી દીધો. ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા માળીએ કહ્યું, અસલી રાવણ તો મંચ પર બેઠો છે. દરેક મુદ્દાનું રાજનીતિકરણ કરે છે. તેના કારણે ભગવાન રામને નિરાશ થઈને પાછા આવવું પડે છે.
‘ભગવાન રામ’નો બીજેપી નેતા પર આક્ષેપ
તેમણે હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે સુરેશ સાગરવંશી તુચ્છ મુદ્દાઓ પર રાજનીતિ કરનારા લોકોમાંથી એક છે. સિરોહીમાં લગભગ વીસ ગરબા કમિટી છે જે નવરાત્રી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરે છે. તેમણે કહ્યું કે, અહીંયા અન્ય કમિટીઓને 11,000 રૂપિયાનું અનુદાન મળે છે. પરંતુ સાગરવંશી 31,000 રૂપિયા વસૂલે છે. જ્યારે દશેરાનો ઉત્સવ નગર પાલિકા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
નેતાજીએ શું કહ્યું?
જાણકારી અનુસાર માળી આ દરમિયાન પોતાના 100 સહયોગીઓ સાથે રાવણ દહન કર્યા વિના જ સ્ટેજ છોડીને જતો રહ્યો. જેમાં વાનર સેના અને અન્ય કલાકારો શામેલ હતા. આ દરમિયાન તેમણે કાર્યક્રમ આયોજકો વિરુદ્ધ પણ ખૂબ સૂત્રોચ્ચાર કર્યા. જોકે આ બાદ ભાજપા નેતા સાગરવંશીએ ઈનકાર કર્યો કે કલાકારો તેમના કારણે સ્ટેજ છોડીને ગયા છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ ખૂબ હંગામો કર્યો. જે પછી જાણકારી અનુસાર ત્યાં ઉપસ્થિત એક બાળક પાસેથી રાવણ દહનનો કાર્યક્રમ કરાવવામાં આવ્યો.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.