એપશહેર

સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ ગુમાવવી તે કોરોનાના દર્દીઓ માટે સારા સંકેત છે!

એક અન્ય ડોક્ટરના જણાવ્યા મુજબ મારા રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે ગંધ અને સ્વાદ પારખવાની શક્તિ ગુમાવતા મોટાભાગના રોગીઓને ગંભીર બીમારીઓ નથી થતી.

I am Gujarat 22 Nov 2020, 9:05 pm
નવી દિલ્હી: હવે ફરી પાછું ધીરે-ધીરે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસના લક્ષણોમાં લાંબા સમય પછી એવું જાણવા મળ્યું કે કોરોનાના દર્દી સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ ગુમાવે છે. આ સાથે ગેસની સમસ્યા અને છાતીમાં દુ:ખાવો થાય તેવું પણ જાણવા મળ્યું છે. આ તમામ લક્ષણો સામાન્યરીતે કોરોના થયાના બીજા અઠવાડિયા સુધીમાં શરૂ થઈ જાય છે.
I am Gujarat q11


એક જાણીતા ડોક્ટરના જણાવ્યા મુજબ, જો કોરોના વાયરસની શરૂઆતમાં જ ગંધ અને સ્વાદ પારખવાની શક્તિ ગુમાવવી તે એક સારા રોગનો સંકેત છે. કારણકે, ત્યારે તરત ખબર પડી જાય છે કે તે વ્યક્તિને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધારે છે. આ ડોક્ટરના જણાવ્યા મુજબ, લગભગ 40 ટકા દર્દીઓમાં ગંધ અને સ્વાદ નહીં પારખી શકતા હોવાની સમસ્યા આવી રહી હતી. આ કારણે ઘણાં દર્દીઓની સમયસર સારવાર થઈ જતા તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે ઘણાં એવા કેસોમાં કોરોનાના દર્દીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. આ પ્રકારના દર્દીઓ કોરોનાને હરાવે છે પણ એ વાતનો ડર પણ સતાવે છે કે તેઓ અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવે નહીં.

કોરોનાના દર્દીઓની સારવાર કરતા એક અન્ય ડોક્ટરના જણાવ્યા મુજબ મારા રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે ગંધ અને સ્વાદ પારખવાની શક્તિ ગુમાવતા મોટાભાગના રોગીઓને ગંભીર બીમારીઓ નથી થતી. તેઓને ઓક્સિજન સપોર્ટની જરૂર નથી અને તે પૈકી મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર નથી.

ડોક્ટરે જણાવ્યું કે જો તમને ખાવામાં સ્વાદ નથી આવતો અને ગંધ નથી આવતી તો આ સારા સંકેત છે. આ એક એવું લક્ષણ છે કે જેનાથી એ વાતનો ખ્યાલ આવે છે કે તમે કોરોના સંક્રમિત છો. જે દર્દીઓમાં ગંધ અને સ્વાદની સમસ્યા જોવા મળી છે તેઓમાં શ્વાસની સમસ્યા જોવા મળી નથી. તેઓની હાલત વધુ બગડી નથી. પરંતુ, હજુ સુધી એ વાતની કોઈ ચોક્કસ જાણકારી નથી મળી કે કોરોનાના દર્દીઓ સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ ગુમાવે તેનું ચોક્કસ કારણ શું છે?
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.

Read Next Story