એપશહેર

મહારાષ્ટ્રઃ આજે ગઠબંધનની જાહેરાત થઈ તો કાલે સરકાર બનાવવાનો દાવો કરી શકે છે શિવસેના!

Tejas Jinger | TNN 22 Nov 2019, 8:07 am
નવી દિલ્હી/મુંબઈઃ અનેક બેઠકો બાદ આજે શિવસેના કોંગ્રેસ અને NCPના ટેકાની જાહેરાત કરી શકે છે તેવા સંકેત છે. જો આજે ગઠબંધનની જાહેરાત થઈ તો શનિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારને મળીને શિવસેના સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. શિવસેનાને આજે કોંગ્રેસ અને NCPનો ટેકો મળવાનો પત્ર મળી શકે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: શિવસેનાએ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. ધારાસભ્યોને એક અઠવાડિયું પોતાની સાથે રહેવા માટે કપડા અને આધાર તથા પાન કાર્ડ લાવવા માટે પણ કહેવામાં આવી શકે છે. શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે બેઠકમાં ધારાસભ્યોને સંબોધિત કરી શકે છે અને તે પછી તેમને ક્યાંક એક સાથે રાખવામાં આવી શકે છે, જેનાથી તેમને અન્ય પાર્ટીઓના સંપર્કમાં આવવાથી બચાવી શકાય.સરકારે જણાવ્યું કઈ રીતે Chandrayaan 2 સફળ રહ્યુંકોંગ્રેસ, NCP તથા શિવસેના ત્રણે પાર્ટીઓના નેતા શુક્રવારે મહત્વની બેઠક પણ કરી શકે છે. જેમાં વિવાદિત મુદ્દાને હટાવવા માટે અને મંત્રાલયોને વહેંચવા અંગે ચર્ચા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રાલયોને વહેંચવા અંગે અને સરકાર બનાવવાના ફોર્મ્યુલા પર વાતચીત થઈ શકે છે, જેમાં પ્રત્યેક 4 ધારાસભ્ય પર પાર્ટીને એક મંત્રાલય મળી શકે છે. જેનો મતલબ એ છે કે, જો શિવસેના 15, NCPને પણ 54 ધારાસભ્યો પર 15 અને કોંગ્રેસને 12 મંત્રાલયો મળી શકે છે. આ સાથે મુખ્યમંત્રી પદ માટે પણ 50:50 નો ફોર્મ્યુલા સેટ કરવામાં આવી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો