એપશહેર

Amritpal Singh:શું ઘેરાઈ ગયો ભાગેડૂ અમૃતપાલ સિંહ? હોશિયારપુરમાં પંજાબ પોલીસની મોટી કાર્યવાહી

Amritpal Singh News: ખાલિસ્તાની અમૃતપાલ સિંહ છેલ્લાં કેટલાંક દિવસોથી પોલીસ પકડથી દૂર છે. અમૃતપાલ સિંહનો એક વિડીયો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયો દિલ્હીનો હોવાની ચર્ચા છે. જેમાં અમૃતપાલ સિંહ પોતાના સાથીદાર પપલપ્રીતની સાથે નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ 18 માર્ચથી વારિસ પંજાબ દેના ચીફને શોધી રહ્યો છે. તો બીજી તરફ, સતત અમૃતપાલ પોલીસને હંફાવી રહ્યો છે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 29 Mar 2023, 4:03 pm

હાઈલાઈટ્સ:

  • પંજાબના હોશિયારપુરમાં ખાલિસ્તાની અમૃતપાલ સિંહ ઘેરાયો હોવાના સમાચાર
  • બીબી પંડોરી ગામમાં રાજ્ય પોલીસનું મોટુ સર્ચ ઓપરેશન
  • 18 માર્ચથી ફરાર છે અમૃતપાલ સિંહ, અનેક વાર બદલ્યો વેશ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat amritpal singh may surrender
પંજાબ પોલીસે હોશિયારપુરમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.
ચંદીગઢઃ ખાલિસ્તાની અમૃતપાલ સિંહ (Amritpal Singh) હજુ પણ પંજાબ પોલીસના હાથમાં આવ્યો નથી. રાજ્યની પોલીસ ગઈ 18 માર્ચ અમૃતપાલસને ટ્રેક કરી રહી છે, પરંતુ હજુ સુધી તેને પકડી શકી નથી. આ દરમિયાન રાજ્ય સરકારે અમૃતપાલ કેસ સાથે સંકળાયેલા 8 અધિકારીની બદલી કરી નાખી છે. માનવમાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર આ અધિકારીઓની બદલી કરીને મોટો સંકેત આપવા માગે છે. આ દરમિયાન એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે હોશિયારપુર જિલ્લામાં તે છૂપાયો છે. પંજાબ પોલીસના જવાનો હાલ બીબી પંડોરી ગામમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ તેના સાથીદાર પપલપ્રીત સિંહ સાતે આ વિસ્તારમાં છૂપાયો છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ 10 મેના રોજ તમામ 224 સીટો પર એક તબક્કામાં મતદાન, 13મીએ રિઝલ્ટ
બીબી પંડોરી ગામમાં પોલીસનો ઘેરાવો
અમારા સહયોગી ટાઈમ્સ નાઉ નવભારતના અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે એક ઈનોવા કારમાં બેસીને ભાગી રહેલો અમૃતપાલ હોશિયારપુરને ઘેરી લીધો હતો પરંતુ તે નાકા પર કૂદીને ભાગી ગયો હતો. પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ યુનિટને એક ઈનોવા કારમાં અમૃતપાલ સિંહ છૂપાયો હોવાનો અંદેશો હતો. પોલીસ આ ગામમાં એક એક ઘર તપાસી રહી છે. હોશિયારપુરના એસએસપી અને એડીજીપી પણ ગામમાં પહોંચ્યા છે.
PM Modi Speech: કેટલાક પક્ષોએ ભ્રષ્ટાચારી બચાવો અભિયાન શરૂ કર્યું છેઃ પીએમ મોદી
8 અધિકારીઓની બદલી

અમારા સહયોગી ટાઈમ્સ નાવ નવભારત મુજબ, પંજાબ સરકારે અમૃતપાલ સિંહના કેસ સાથે સંકળાયેલા 8 અધિકારીઓની બદલી કરી નાખી છે. એસએસપી સ્વર્ણદીપ સિંહ, વત્સલ ગુપ્તા જેવા મોટા અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર હજુ પણ કેટલીક બદલીઓ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ હરિયાણા હઈકોર્ટમાં રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે તેઓ અમૃતપાલ સિંહની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. છેલ્લાં 11 દિવસોમાં અમૃતપાલ સિંહની અનેક તસવીરો સામે આવી છે. ક્યારેક તે બાઈક પર ભાગતો નજરે પડે છે તો કેટલીકવાર કારમાં. અમૃતપાલના ભાગી જવાથી રાજ્યની ભગવંત માન સરકાર પર વિપક્ષી દળોએ જોરદાર આરોપ લગાવ્યા હતા.
Latest National News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો