એપશહેર

J&Kમાં સેનાના યંગ મેજરે પોતાને AK-47થી ગોળી મારતા મોત

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં એક શિબિરમાં સેનાના 29 વર્ષીય મેજરે કથિત રીતે પોતાની જ સર્વિસ રાઈફલથી પોતાને ગોળી મારી લેતા ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી

I am Gujarat 12 Dec 2021, 7:06 pm

હાઈલાઈટ્સ:

  • જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે
  • રામબન જિલ્લામાં એક જવાને પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો છે
  • દિલ્હીમાં રહેતા મેજર પરવિંદર સિંહ પોતાના રૂમમાં સર્વિસ રાઈફલથી પોતાને મારી ગોળી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat jk
રામબનઃ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રામબન જિલ્લામાં એક જવાને પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો છે. પોલીસે લાશને કબજે કરીને હોસ્પિટલ ખસેડી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હીમાં રહેતા મેજર પરવિંદર સિંહ શનિવારની રાત્રે બનિહાલના ખારી વિસ્તારમાં મહૂબલમાં શિબિરની અંદર પોતાના ક્વાટરમાં હતા. એ જ સમયે તેઓએ AK-47થી કથિત રીતે પોતાની જાતને ગોળી મારી દીધી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, મેજર તાજેતરમાં જ કંપની કમાન્ડર તરીકે શિબિરમાં જોડાયા હતા. અધિકારીઓએ એવું પણ જણાવ્યું કે, મેજરે આ પગલું કયા કારણોસર ઉઠાવ્યું એ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે, આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
ટોઈલેટનું સમારકામ કરતાં પ્લમ્બરને લાગી લોટરી, દિવાલની અંદરથી મળ્યા 5 કરોડ રૂપિયા
પોતાની જ AK-47 રાઈફલથી મારી ગોળી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મેજરે પોતાના જ રૂમમાં AK-47 રાઈફલથી પોતાની જાતને ગોળી મારી લીધી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મેજરના ફોન રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ આપઘાતનો ખુલાસો થઈ શકે છે. પોલીસનું કહેવું છે કે, આ મામલાની જાણ મેજરના પરિવારજનોને પણ કરવામાં આવી છે.
ATMમાંથી રોકડ ના નીકળે અને ખાતામાંથી પૈસા કપાય તો શું કરવું?
એકાન્ટરમાં એક આતંકીનો ખાતમો
તાજેતરમાં જ અવંતીપોરામાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાના જવાનોએ એક આતંકીને ઠાર માર્યો હતો. કાશ્મીર પોલીસે આ વાતની જાણકારી આપી હતી. અવંતીપોરાના બડાગામ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની સૂચના સેનાને મળી હતી. જે બાદ પોલીસ અને સેનાના જવાનો ત્યાં પહોંચ્યા હતા. જ્યાં આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કર્યુ હતુ. એ પછી થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો. આ પહેલાં બાંદીપોરાના ગુલશન ચોક પર થયેલા હુમલામાં બે જવાન શહીદ થયા હતા. જ્યારે આ પહેલાં શોપિયાંમાં સેનાએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા.

Read Next Story