એપશહેર

અલકનંદામાં પડી ગાડી, પથ્થરના સહારે બચી ગયેલો યુવક 2 કલાક બૂમો પાડતો રહ્યો

બચાવ ટીમમાં સામેલ એસડીઆરએફ ટીમના સભ્યએ જણાવ્યું કે આકાશ નદીમાં પડ્યો કારણકે તેનો દરવાજો ખુલ્લો હતો.

I am Gujarat 19 Nov 2021, 10:53 pm

હાઈલાઈટ્સ:

  • તે સ્વિમિંગનો જાણકાર હોવાથી પહાડ સુધી પહોંચવામાં સફળ રહ્યો અને ત્યાં લગભગ 2 કલાક સુધી ચોંટી રહ્યો હતો.
  • દરમિયાન ગુરુવારે સાંજે સંદીપ રાઠીનો મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યો.
  • તેઓ જ્યારે હરિદ્વારથી નીકળ્યા ત્યારે રસ્તામાં અડધી રાત્રે આ દુર્ઘટના બની હતી.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat q11
પ્રતીકાત્મક તસવીર
દહેરાદૂન, ઉત્તરાખંડ: 32 વર્ષીય આકાશ રાઠી નામનો યુવક બુધવારે રાત્રે પોતાના પિતરાઈ ભાઈ સંદીપ રાઠી સાથે બદ્રીનાથ જઈ રહ્યો હતો. તેઓ જ્યારે હરિદ્વારથી નીકળ્યા ત્યારે રસ્તામાં અડધી રાત્રે આ દુર્ઘટના બની હતી. જેમાં તેમની ગાડી અલકનંદા નદીમાં પડી ગઈ હતી.
તેઓની ગાડી નદીમાં પડ્યા બાદ સંદીપ નામનો યુવક કાર સહિત પાણીમાં વહી ગયો જ્યારે આકાશ લગભગ 2 કલાક સુધી પહાડ સાથે ચોંટી રહ્યો હતો. જાણે કે તેની આંખ સામેથી મોત પસાર થઈ રહ્યું હતું. પરંતુ, 2 કલાક બાદ તેને એસડીઆરએફની ટીમે બચાવી લીધો.

બચાવ ટીમમાં સામેલ એસડીઆરએફ ટીમના સભ્યએ જણાવ્યું કે આકાશ નદીમાં પડ્યો કારણકે તેનો દરવાજો ખુલ્લો હતો. તે સ્વિમિંગનો જાણકાર હોવાથી પહાડ સુધી પહોંચવામાં સફળ રહ્યો અને ત્યાં લગભગ 2 કલાક સુધી ચોંટી રહ્યો હતો. દરમિયાન ગુરુવારે સાંજે સંદીપ રાઠીનો મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યો. તેનો મૃતદેહ કાર સહિત બહાર નીકાળવામાં આવ્યો. તે હરિદ્વારમાં કામ કરતો હતો.

આકાશ નામનો યુવક નસીબદાર હતો કે મદદ માટેની તેની બૂમ હાઈવે પાસેની હોટેલના કર્મચારીઓ સુધી પહોંચી. તેમણે આ અંગે પોલીસને જાણ કરી. પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી. અધિકારીઓએ જણાવ્યું કે નદીનું જળસ્તર વધ્યું નહીં અને આકાશ નામનો શખસ તે પહાડ સાથે ચોંટી રહ્યો અને ડૂબ્યો નહીં. એસડીઆરએફના એક જવાને જણાવ્યું કે જ્યારે આકાશને બચાવવામાં આવ્યો ત્યારે તે ઊંડા આઘાતમાં હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો કે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

અહીં નોંધનીય છે કે ઓક્ટોબર મહિનામાં ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદના કારણે સૌથી વધારે નુકસાન નૈનીતાલ જિલ્લામાં થયું હતું. કોસી નદીમાં પૂર આવતા તેના પાણી ત્યાંના એક રિસોર્ટમાં ઘૂસી આવ્યા હતા. જેના કારણે તે રિસોર્ટ તરફ જવા માટેનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદને પગલે ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. કેટલાંક મકાનો ધરાશાયી થઈ ગયા હતા અને કાટમાળમાં લોકો ફસાયા હતા. નૈનીતાલનો સંપર્ક તૂટી ગયો હતો. નૈનીતાલ સુધી પહોંચવાનો જમીની સંપર્ક પણ તૂટી ગયો હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો