એપશહેર

મહિને ₹7 હજાર કમાતા યુવકને I-T વિભાગની નોટિસ, ₹134 કરોડની લેણ-દેણ મુદ્દે માગ્યો હિસાબ

મિત્તલ ઘડિયા | TNN 16 Jan 2020, 9:22 am
પી. નવીન, ભોપાલઃ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં રહેતા 29 વર્ષના એક યુવકને આવકવેરા વિભાગે 2011-12માં મુંબઈમાં પોતાના પાન નંબરથી ખોલવામાં આવેલા અકાઉન્ટમાં 134 કરોડ રૂપિયાની લેવડ-દેવડ મામલે નોટિસ ફટકારી છે. I-T વિભાગની નોટિસથી યુવક આઘાતમાં છે. રવિ ગુપ્તાએ કહ્યું કે, ‘તે સમયે મારો પગાર 7 હજાર રૂપિયા હતો અને આ અકાઉન્ટ કઈ રીતે ખુલ્યું તેની જાણ પણ નથી. આ મની લોન્ડ્રિંગનો કેસ છે અને આ મામલે તપાસ થવી જોઈએ તેમ તેનું માનવું છે’.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: રવિએ કહ્યું કે, જ્યારે તેણે ફર્મમાં પોતાની રીતે તપાસ કરી તો મોટો ઝટકો લાગ્યો. જે કંપનીથી બેંકમાં લેવડ-દેવડ થઈ છે, તે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની ઓફિસથી થોડા અંતરે આવેલી છે, જેઓ પંજાબ નેશનલ બેંકમાં કરેલા 12,700 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી છે. ગુપ્તાનો આરોપ છે કે, ટ્રાન્ઝેક્શન ગુજરાતની ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા કરવામાં આવ્યું છે.આવકવેરા વિભાગના સીનિયર અધિકારીએ કહ્યું કે, ગુપ્તા આ મામલે ફરિયાદ નોંધાવી શકે છે અને તપાસની માંગ કરી શકે છે. ભિંડના મોરેનામાં રહેતા રવિને કહેવામાં આવ્યું છે કે, 9 સપ્ટેમ્બર 2011થી 13 ફેબ્રુઆરી 2012ની વચ્ચે મુંબઈમાં ખાનગી બેંકની શાખામાં કંપનીના અકાઉન્ટમાંથી 134 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ કંપની સાથે જોડાયેલું પાનકાર્ડ ગુપ્તાનું છે.‘જ્યારે આ ટ્રાન્ઝેક્શન થયું ત્યારે મારી ઉંમર માંડ 21ની હતી. 2011 કે 2012માં હું ગુજરાત કે મુંબઈ ગયો પણ નહોતો. તે સમયે ઈન્દોરના એક ખાનગી ફર્મમાં નોકરી કરતો હતો અને મહિને 7 હજાર કમાતો હતો જે કરપાત્ર રકમ નથી’, તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા રવિ ગુપ્તાએ કહ્યું. ‘ટેક્સ રિકવરી કેસમાં સ્પષ્ટતા કરવા માટે મધ્યપ્રદેશ સાયબર સેલ, મહારાષ્ટ્ર પોલીસ, PMO અને આવકવેરા વિભાગને મેં પત્ર લખ્યો છે’.રવિને પહેલી નોટિસ 30 માર્ચ 2019ના રોજ મળી હતી જેમાં તેને 2011-12માં તેની જે આવક હતી તે કરપાત્ર હતી, તેવું કહેવામાં આવ્યું હતું. ‘તે વખતે મારો પગાર કરપાત્ર ન હોવાથી મેં તેની અવગણના કરી હતી, બીજી નોટિસ મને જુલાઈમાં મળી. જે બાદ મેં જાતે તપાસ કરવાનું નક્કી કર્યું, મેં આ કેસમાં માહિતી એકઠી કરી’, તેમ ગુપ્તાએ કહ્યું. તેણે કહ્યું કે, તે મુંબઈની ઈનકમ ટેક્સ ઓફિસે પણ ગયો હતો જ્યાં તેણે આ અકાઉન્ટ પોતાનું ન હોવાનું કહ્યું હતું. ‘હવે I-T વિભાગે વસૂલાત કરવા માટે મારી મિલકતને અટેચ કરવાની ધમકી આપી છે’, તેમ તેણે કહ્યું.ડિસેમ્બરમાં ગુપ્તાને I-T વિભાગે સમન પણ પાઠવ્યું હતું.બેંગાલુરુઃ લોકોને જાહેરમાં પેશાબ કરતાં રોકવા અજમાવ્યો ગજબનો ઉપાય
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો