સાઉથ દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં તે સમયે અફરા-તફરી મચી ગઈ જ્યારે એક શખ્સને પોતાના એકાન્ટમાંથી પૈસા કાઢવા માટે ડીબીસી બેન્કના એટીએએમમાં પહોંચ્યો, પરંતુ ATMમાંથી પૈસા નીકળ્યા તો તે દંગ રહી ગયો. ATMમાંથી જે પૈસા નીકળ્યા તેમાંથી એક નોટ એવી હતી જેમાં 2000રૂ.ની અડધી નોટ અસલી હતી અને અડધા ભાગમાં કાગળનો ટુકડો ચોંટાડેલો હતો.
અડધા ભાગમાં હતો કાગળ
શાદાબ ચૌધરી નામનો શખ્સ, જે આજે લગભગ 12 વાગ્યા આસપાસ પોતાના યસ બેન્કના એકાઉન્ટમાંથી પૈસા નીકાળવા માટે ડીબીસી બેન્કના એટીએમમાં પહોંચ્યો. તેણે જામિયા વિસ્તારમાં સ્થિત એટીએમમાંથી દસ હજાર રૂપિયા નીકાળ્યા પરંતુ તેમાં 2000રૂ. ની એક નોટ એવી નીકળી જેના અડધા ભાગમાં કાગળ હતો અને અડધો ભાગ અસલી હતો. નોટ જોઈને પીડિત તરત જ કસ્ટમર કેરમાં કોલ કર્યો પરંતુ કસ્ટમર કેરમાંથી કોઈ આશ્વાસન ન મળતા તે બેન્ક પહોંચ્યો અને ફરિયાદ દાખલ કરાવી. પીડિતે આ મામલામાં પોલીસમાં પણ ફરિયાદ કરી છે.
ક્યારે મળશે જનતાને મુશ્કેલીઓથી છૂટકારો?
બેન્કમાંથી આ પ્રકારની નોટો નીકળવાના કારણે સવાલ ઉઠે છે કે ભ્રચ્ટાચાર જ્યારે બેન્કમાં જ ખતમ નથી થઈ રહ્યો તો પછી સામાન્ય જનતાની મુશ્કેલીઓ દુર કેવી રીતે થશે. નોટબંધી સમયે લાઈનોમાં ઉભેલી જનતાના આ રીતે ફરીથી મુશ્કેલીઓ નડી રહી છે તે છેલ્લે ક્યારે સમાપ્ત થશે તે તો હવે સમય જ જણાવી શકશે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.