એપશહેર

PM મોદીની 'મન કી બાત' સાથે વધુ લોકોને જોડવા કિઓસ્ક્સ સ્થપાશે

I am Gujarat 11 Jul 2016, 2:00 am
અમન શર્મા નવી દિલ્હી
I am Gujarat man ki baat
PM મોદીની 'મન કી બાત' સાથે વધુ લોકોને જોડવા કિઓસ્ક્સ સ્થપાશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભ‌ળવા અને તેનો પ્રતિસાદ આપવા માટે વધુને વધુ લોકો જોડાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. ટોલ-ફ્રી હેલ્પલાઇન અને એક વેબસાઇટ બાદ હવે સરકાર શહેરોમાં કિઓસ્ક્સ ઊભા કરીને તેમાંથી લોકોને વાત કરવાની સવલત ઊભી કરવા જઇ રહી છે.

આ કાર્યક્રમને ચલાવતાં પીએમના સહયોગીઓએ જણાવ્યું છે કે દેશભરમાંથી યુવાઓ હવે ટોલ-ફ્રી નંબરથી તેમના સલાહ-સૂચનો મોકલે છે. હવે તેના કારણે પીએમઓએ રેડિયો કાર્યક્રમના દરેક પ્રસારણ પહેલાં લોકો કોલ્સ કરી શકે અને મહત્ત્વના મુદ્દાની વાત કરી શકે તે માટે શહેરોમાં કિઓસ્ક્સ સ્થાપીને આવા સલાહ-સૂચનો માગવાના પ્રયાસોને વધારવાનું નક્કી કર્યું છે. આ મહિનાના અંતમાં હરિદ્વાર, ગોરખપુર, ઇન્દોર, પુડુચેરી, દહેરાદૂન, ઉદયપુર, ભીલવાડા અને ચેન્નઇ એમ આઠ શહેરોમાં કિઓસ્ક્સ સ્થાપાશે. નરેન્દ્ર મોદીના માસિક ‘મન કી બાત’ પ્રસારણ માટેનો મૂળ નિયમ રાજકીય ચર્ચા નથી પરંતુ લોકો સાથેના પ્રસંગો અને વાર્તાઓને સામેલ કરવાનો છે તેમ તેમના સહયોગીઓનો દાવો છે.

આ કાર્યક્રમને દર વર્ષે ટોલ-ફ્રી હેલ્પલાઇન પરથી આશરે ૫૦૦૦૦ જેટલાં કોલ્સ પ્રાપ્ત થાય છે. નરેન્દ્ર મોદી મોબાઇલ એપ્લીકેશન પર ૫૦૦૦ ઓનલાઇન સલાહો, ૧૫૦૦થી વધુ ટિપ્પણીઓ તેમજ ઓલ ઇન્ડિયા રેડિયોને ૧૨૦૦ જેટલાં પત્રો પણ મળે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો