એપશહેર

હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી એક એક કરીને અંગો ખરાબ થતા ગયા, એક વર્ષની પીડા પછી જુવાનજોધ યુવકે ગુમાવ્યો જીવ

આજકાલ વાળ ખરવાની સમસ્યા ઘણી વધી ગઈ છે. ઘણી વાર લોકો આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવતા હોય છે. દિલ્હીના એક 30 વર્ષીય યુવકને આ સર્જરીને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવકને સાઈડ ઈફેક્ટને કારણે વિવિધ અંગો નિષ્ક્રિય થઈ ગયા હતા, એક વર્ષની પીડા પછી તેનું નિધન થયું છે.

Edited byZakiya Vaniya | TNN 5 Dec 2022, 2:18 pm
નવી દિલ્હી- પાછલા થોડા સમયમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનું ચલણ ખૂબ વધી ગયું છે. વાળ ખરવાની સમસ્યા હવે ઘણી સામાન્ય બની ગઈ છે, જેના પરિણામે લોકો ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોય છે. ઘણાં લોકો માટે આ સર્જરી સફળ સાબિત થાય છે, પરંતુ દિલ્હીમાં હેર ટ્રાન્સપ્લાન્ટને કારણે એક 30 વર્ષીય યુવકનું નિધન થઈ ગયું છે. મૃતક યુવકના પરિવારે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બાબતે ચાર લોકોની ધરપકડ કરી છે. યુવકનું નામ અતહર રાશિદ હતું. તે દિલ્હીમાં પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તે પાછળ માતા અને બે બહેનોને મૂકીને ગયા છે. તે પોતાના પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. રાશિદના નિધન પછી માતા રડી રડીને બેહાલ થઈ ગયા છે.
I am Gujarat hair transplant
30 વર્ષના યુવકનું સર્જરીના એક વર્ષ પછી થયું નિધન.


રાશિદના માતા 62 વર્ષીય આશિયા બેગમે જણાવ્યું કે, તેમના દીકરાએ એક વર્ષ પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. સર્જરી પછી રાશિદને સેપ્સિસની સમસ્યા થઈ હતી. રાશિદના આખા માથામાં સોજો આવી ગયો હતો. ત્યારપછી સમયની સાથે તેની સમસ્યા વધી ગઈ હતી. માતાનો આરોપ છે કે તેમના દીકરાની સર્જરીમાં જ કંઈક ગરબડ થઈ હતી. ત્યારપછી તો કિડનીની પણ સમસ્યા ઉભી થઈ હતી. એક વર્ષની પીડા પછી મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યરને કારણે રાશિદનો જીવ ગયો હતો.

UKના વિઝાનો સ્ટેમ્પ લગાવવા મુંબઈની મહિલાએ પાસપોર્ટ આપ્યો, કોઈએ તેના જ નંબરથી આયરલેન્ડમાં પાંચ દિવસ માટે બુક કરાવ્યો હોટેલ રૂમ
રાશિદના માતાનો દાવો છે કે નિધન પહેલા તેમના દીકરાના શરીર પર ચામઠા પડી ગયા હતા. તે આંખમાં આંસુ સાથે જણાવે છે કે, આ કેસમાં આરોપીઓને કડક સજા થવી જોઈએ. આશિયા બેગમ જણાવે છે કે, મેં મારો દીકરો ગુમાવ્યો છે અને હું નથી ઈચ્છતી કે આ પ્રકારની ખોટી સારવારને કારણે કોઈ બીજી માતા પોતાનો દીકરો ગુમાવે. મેં મારા દીકરાને પીડાથી કણસતો જોયો છે. તેમણે પોતાના દીકરાની તસવીર પણ બતાવી જેમાં જોઈ શકાય છે કે ચહેરો આખો સૂજી ગયો હતો.

નોકરી કરવા માટે દુબઈ ગયેલો યુવક જેલમાં પહોંચ્યો, છૂટતા પહેલા જ થયો ગાયબ
હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં ગરબડને કારણે મૃત્યુનો આ પ્રથમ કેસ નથી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુરુગ્રામમાં 31 વર્ષના યુવકનું પણ હેર ટ્રાન્સપ્લાન્ટ પછી નિધન થઈ ગયુ હતું. 2019માં પણ મુંબઈના એક વેપારીનું સર્જરી પછી નિધન થયુ હતું. આ માટે જ સલાહ આપવામાં આવે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી નિષ્ણાંત પાસે કરાવવામાં આવે અને પૂરતી જાણકારી પહેલા લેવામાં આવે. લોકો ઘણી વાર ઓછા ખર્ચની લાલચમાં આવીને ભૂલ કરતા હોય છે.

Read Next Story