એપશહેર

'શિકારી' જ બન્યો 'શિકાર'! વીમાના ₹4 કરોડ લેવા મિત્રો સાથે મળી પોતાના મોતનો પ્લાન બનાવ્યો પણ દાવ ઊંધો પડી ગયો

46 વર્ષીય શખ્સે મિત્રો સાથે મળીને ચાર કરોડ રૂપિયાનો વીમો લીધો. તેની રકમ મેળવવા માટે પોતાની હત્યાનું કાવતરું પણ ઘડ્યું. અકસ્માતમાં અશોકનું મોત થયું હોવાનું બતાવીને વીમાની રકમ મેળવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ અશોકના સ્થાને મૃતક તરીકે બતાવવા કોઈ બીજી વ્યક્તિ ના મળતાં ખરેખર અશોકની જ હત્યા તેના સાથીદારોએ કરી હતી.

Authored bySantosh Sonawane | Edited byશિવાની જોષી | TNN 15 Dec 2022, 9:07 am

હાઈલાઈટ્સ:

  • અશોકના મોતને એક્સિડન્ટમાં ગણીને કેસ બંધ કરી દેવામાં આવ્યો.
  • અશોકના ભાઈ દીપકને હત્યાની શંકા જતાં તેણે કેસ ફરી ખોલાવ્યો હતો.
  • મુંબઈ નાકા પોલીસે આ કેસમાં છ શખ્સોની ધરપકડ કરી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat naski
નાસિક: સપ્ટેમ્બર 2021માં 46 વર્ષીય શખ્સના 'એક્સિડેન્ટલ ડેથ'નો કેસ હત્યા હોવાનું સામે આવ્યું છે. કથિત રીતે છ લોકોએ ચાર કરોડ રૂપિયાથી વધુની વીમાની રકમ મેળવવા માટે હત્યા કરી નાખી હતી. મુંબઈ નાકા પોલીસે છ શકમંદોની ધરપકડ કરી હતી અને બુધવારે શહેરની કોર્ટમાં તેને રજૂ કરવામાં આવી હતી. 20 ડિસેમ્બર સુધીના તેમના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
ખેડા SOGએ લાખો રૂપિયાનો ગાંજો કર્યો જપ્ત, ખેતરમાં પાકના વાવેતરની આડમાં આરોપીઓ કરતા હતા ખેતી

ભાઈને શંકા ગઈ અને કેસ ફરી ખુલ્યો

ગત વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ઈન્દિરાનગર જોગિંગ ટ્રેકની પાસે દેવલાલી કેમ્પના સ્થાનિક અશોક ભાલેરાવનો મૃતદેહ મળી આવ્યો હતો, તેમ પોલીસે જણાવ્યું. અકસ્માતના કારણે મોત થયું હશે તેમ માનીને પોલીસે અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો હતો. થોડા દિવસ પહેલા જ અશોકના ભાઈ દીપકે પોલીસનો સંપર્ક કર્યો અને ફરીથી પોતાના ભાઈનો કેસ ખોલવા માટે વિનંતી કરી હતી. દીપકને શંકા હતી કે તેના ભાઈનો અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હતી.

પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે

દીપકની શંકાનું સંજ્ઞાન લઈને પોલીસે તપાસની ઝડપ વધારી અને મંગેશ સાવકર અને એક મહિલાના બેંક બેલેન્સની તપાસ કરી. આ બંને મૃતકના ભાઈ અને ભાભી હોવાનો દાવો કરતાં પોલીસ પાસે પહોંચ્યા હતા જેથી કાનૂની પ્રક્રિયા પૂરી કરી શકે. પોલીસને તપાસમાં માલૂમ પડ્યું કે, મંગશ સાવકર અને મહિલાના ખાતામાં મોટી રકમ જમા થયેલી છે. તપાસ આગળ ધપાવતા આ કેસમાં વધુ ચાર લોકોની સંડોવણી સામે આવી હતી. પોલીસે છયે જણાંની ધરપકડ કરી છે.

સુરતમાં પ્રેમસંબંધના કારણે ઓરિસ્સાની મહિલાની થઇ હતી હત્યા, 49 ચપ્પુના ઘા મારનાર આરોપી અંતે ઝડપાયો

અશોકની નકલી હત્યા કરી વીમાની રકમ લેવાનો હતો પ્લાન

DCP કિરણકુમાર ચવાને અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, "અશોક અને મંગેશે 2018 કે તેની પછીના વર્ષે પ્લાન બનાવ્યો હતો જે અંતર્ગત તેમણે અશોકના નામે 2019માં વીમો લીધો હતો. અકસ્માતમાં કોઈની હત્યા કરીને તેને અશોક હોવાનું દર્શાવીને ચાર કરોડ રૂપિયાનો વીમો પકવવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. જે બાદ અશોક અને મંગેશ તે રૂપિયા વહેંચી લેવાના હતા."

'બકરો' ના મળતાં ખરેખર અશોકની હત્યા કરાઈ

જોકે, પ્લાન સફળ ના રહ્યો કારણકે એક્સિડન્ટમાં કોને મારી નાખવો તે નક્કી ના થઈ શક્યું. ત્યારે મંગેશ અને અન્ય પાંચ શખ્સોએ ગત સપ્ટેમ્બરમાં અશોકની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. આ છયે શખ્સોએ અશોકની હત્યા કઈ રીતે કરી તે હજી પણ જાણી શકાયું નથી. અશોકનો ભાઈ દીપક ફક્ત એકવાર લીગલ ફોર્માલિટીઝ પૂરી કરવા માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો. તે પછીથી મંગેશ જ અશોકનો ભાઈ બનીને આવતો રહ્યો અને તેની ગર્લફ્રેન્ડે મૃતકની ભાભી હોવાનો ડોળ કર્યો હતો. તેમણે અશોકના મોતના કેસની બધી જ કાનૂની પ્રક્રિયા પૂરી કરી હતી અને 4 કરોડ રૂપિયાથી વધુની વીમાની રકમનો દાવો માંડ્યો હતો.

Read Next Story