એપશહેર

દયાશંકરના પરિવાર પર ટિપ્પણીઓથી માયાવતી નારાજ

I am Gujarat 23 Jul 2016, 8:57 am
લખનૌ: બીએસપી પ્રમુખ માયાવતી પાર્ટીના કાર્યકરો પર દયાશંકરની પત્ની અને દીકરી માટે ઉચ્ચારવામાં આવેલા અપમાનજનક શબ્દોના ઉપયોગને કારણે રોષે ભરાયા છે. દયાશંકરના માતા તેત્રા દેવીએ બીએસપી નેતાઓ વિરુધ્ધ FIR દાખલ કરી છે.
I am Gujarat maya upset with bsp attack on singhs kin
દયાશંકરના પરિવાર પર ટિપ્પણીઓથી માયાવતી નારાજ


પાર્ટીના સૂત્રો અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન જે નેતાઓ ત્યાં હાજર હતા, તેમને માયાવતીએ બોલાવ્યા છે. માયાવતીએ તેમની પાસેથી જવાબ માંગ્યો છે કે આખરે કેમ તેમણે દયાશંકરના કુટુંબ પર નિશાન સાધ્યું? સૂત્રોએ જણાવ્યું કે નેતાઓએ પ્રદર્શન અને બીજેપી વિરુધ્ધ લગાવેલા નારાઓ માટે માયાવતી પાસેથી મંજુરી લીધી હતી. જો કે, વાત ત્યારે બગડી જ્યારે બીએસપી નેતાઓએ દયાશંકરની સરખામણી કુતરા સાથે કરી અને તેમની દીકરી તેમજ પત્ની માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો.

જ્યારે માયાવતીને આ નારાઓ વિશે જાણ થઈ તો તેમણે નસીમુદ્દીન સિદ્દીકી અને રામ અચલ રાજભરને સફાઈ આપવા માટે બોલાવ્યા. આ વિષયે માયાવતીએ બંન્ને નેતાઓને મીડિયામાં પણ સફાઈ આપવા માટે કહ્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો