એપશહેર

લોકોના ઘરે કરે છે કામ, લોકડાઉનમાં પોતે એક ટાઈમ ભૂખ્યા રહીને 13 કૂતરાઓને આપ્યું ભોજન

ચેન્નાઇમાં રહેતી મીનાએ લોકડાઉનમાં એક જ સમયનું ભોજન લીધું જેથી તેના 13 કૂતરાઓને યોગ્ય રીતે ખવડાવી શકે.

I am Gujarat 15 Sep 2020, 7:47 pm
લોકડાઉનમાં લોકોને ઘણી જ તકલીફો વેઠવી પડી હતી અને જિંદગી સાથે ખૂબ જ સમાધાન પણ કરવું પડ્યું હતું. કર્યા. પરંતુ એક વસ્તુમાં ક્યારેય સમાધાન નથી થતું અને તે પ્રેમ છે. આ એક જ વાત એવી છે જેમાં સમજૂતીને કોઈ જ અવકાશ નથી. લોકો લોકડાઉનમાં ભૂખ્યા હતા, નોકરીઓ ગઈ, ઘણા કિલોમીટર પગપાળા ચાલીને ઘરે પહોંચવા માટે પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. આ દરમિયાન એક પ્રેમાળ ઘટના પણ સામે આવી હતી. ચેન્નાઇમાં રહેતી મીનાએ જાતે લોકડાઉનમાં એક જ સમયનું ભોજન લીધું હતું. તેમણે આવું એટલા માટે કર્યું જેથી તેના 13 કૂતરાઓને ખવડાવી શકે. તેના કૂતરા ભૂખ્યા નહીં રહે, તેથી તેણે જાતે જ ભોજન લીધું.
I am Gujarat meet chennai woman eats once a day so her 13 dogs never go hungry
લોકોના ઘરે કરે છે કામ, લોકડાઉનમાં પોતે એક ટાઈમ ભૂખ્યા રહીને 13 કૂતરાઓને આપ્યું ભોજન


કૂતરાઓ માટે એક જ ટાઈમ જમતાં
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે તે લોકોના ઘરોમાં ભોજન રાંધીને પોતાનું જીવન પસાર કરે છે. જોકે, તેને કૂતરાઓ પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ છે. કૂતરાઓને તે પોતાના પરિવારની જેમ જ રાખે છે. મીનાજીએ આખું જીવન આ કૂતરાઓની સંભાળમાં પસાર કર્યું. લોકડાઉન દરમિયાન તેને ખાવામાં તકલીફ થઈ હતી. તેનું કામ અટકી ગયું હતું. પરંતુ તેણે પોતાના કૂતરાઓની બરાબર સંભાળ રાખી હતી. ભોજન ખૂટતાં તેમણે નક્કી કર્યું કે તે પોતે દિવસમાં એકવાર ખાશે પરંતુ કૂતરાઓને ભૂખે મરવા દેશે નહીં.

ભોજન ખૂટતાં તેમણે નક્કી કર્યું કે તે પોતે દિવસમાં એકવાર ખાશે પરંતુ કૂતરાઓને ભૂખે મરવા દેશે નહીં.


કેટલાક લોકોએ કરી મદદ
મીનાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન તેના કેટલાક માલિકોએ તેને એડવાન્સમાં પગાર પણ આપ્યા હતાં. તેણે કહ્યું કે, 'બધાને ખબર હતી કે, મારા પરિવારમાં 13 કૂતરાઓ છે અને તેઓ મારી ખૂબ નજીક છે.' મીનાને હંમેશાથી એવી આદત પડી છે કે તે શેરીમાં ઘણાં કૂતરાઓને ખવડાવે છે. શેરીના કૂતરાઓને તેના ઘરે પણ લાવે છે. મીના જેવા લોકોના કારણે જ માનવતા હજી જીવંત છે. જેઓ પોતાની વેદના ભોગવી રહ્યા છે પરંતુ મૂંગા જાનવરોને કોઈ જ તકલીફ પડવા દેતા નથી.

Read Next Story