એપશહેર

જ્યારે કોઈ નથી ફરકતું ત્યારે આ વ્યક્તિ કરે છે કોરોના સંક્રમિત મૃતદેહના અંતિમ સંસ્કાર

Gaurang Joshi | TNN 24 May 2020, 4:34 pm
જયપુરઃ કોરોના વોરિયર્સ- આ શબ્દ સાંભળતા જ તમારી નજરની સામે પોલીસ, ડોક્ટર્સ, મીડિયા કર્મચારીઓ અને નર્સની તસવીર ઉભી થઈ જાય છે. આ લોકો કોરોના સામે સીધું યુદ્ધ જ લડી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ નામ છે વિષ્ણુંનું. એ જ વિષ્ણું જે જયપુરનો રહેવાસી છે. તેનું નામ કોરોના વોરિયર્સ સાથે એ કારણે જોડવામાં આવી રહ્યું છે કારણકે તેઓ કોરોના સંક્રમિત મૃતદેહના અંતિમ સંસ્કાર કરે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોન ધર્મ જુએ છે ન જાતિઅમારા સહયોગી ‘ઈન્ડિયા ટાઈમ્સ’ના જણાવ્યાનુસાર, જયપુરના રહેવાસી વિષ્ણું સાથે તેની સમગ્ર ટીમ છે. તે દરેક લોકો મળીને કોરોના સંક્રમિત દર્દીઓ જે મૃત્યુ પામ્યા છે. તેમના અંતિમ સંસ્કાર કરે છે. આ લોકો ન ધર્મ જુએ છે ન તો જાતિ જુએ છે. ત્યાં સુધી કે વિષ્ણુની ટીમે અત્યાર સુધીમાં 15 મુસ્લિમોના મૃતદેહને પણ દફનાવ્યા છે. આટલું જ નહીં તેમણે 52 મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કર્યા છે.સૌથી મોટો ધર્મ છે સંસ્કારવિષ્ણું કહે છે કે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા એ પણ સૌથી મોટો ભાર છે અને ધર્મ પણ છે. તેઓ જણાવે છે કે કોરોના વાયરસ પહેલા તેઓ ક્યારેય કબ્રસ્તાનમાં ગયા નહોતા. જોકે, હવે વિષ્ણું અને તેની ટીમ કબર પણ ખોદે છે. તેઓ કબ્રસ્તાનમાં જાય છે અને કબરમાં ઉતરીને મૃતદેહને છેલ્લી માટી પણ નાખે છે.અસ્થિ લેવા પણ નથી આવતા પરિવારજનોવિષ્ણુંની સમગ્ર ટીમ કુલ મળીને 68 લોકોના અંતિમ સંસ્કાર કરી ચૂકી છે. તેઓ કહે છે કે,’આ સમયે હાલત એ થઈ છે કે મડદાઘરમાં લોકો મૃતકોની અસ્થિ લેવા પણ આવતા નથી. અમારી ટીમ રોજ ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે, હવે આ રીતે કોઈનો અંતિમ સંસ્કાર કરવો ન પડે. જે દિવસે એવું થાય કે કોરોના વાયરસના કારણે કોઈનું મોત ન થાય તે દિવસે અમને ખુબ જ ખુશી થાય છે.’

Read Next Story