એપશહેર

પાકિસ્તાનના નવા નક્શા સામે ભારતના વિદેશ મંત્રાલયે આપ્યો વળતો જવાબ

પાકિસ્તાન દ્વારા નવા જાહેર કરેલા નક્શા બાદ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ આ હાસ્યાસ્પદ દાવાઓની કાનૂની માન્યતા નથી અને નથી કોઈ આંતરાષ્ટ્રીય વિશ્વસનિયતા.

I am Gujarat 4 Aug 2020, 11:14 pm
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તા દરેક વખતે એવું કંઈક કરે છે કે જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ઉત્પન થઈ શકે છે. હવે પાકિસ્તાને એક નવો નક્શો જાહેર કર્યો છે જેમાં ભારતના કેટલાક વિસ્તારોને પાકિસ્તાનમાં દેખાડ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન દેશનનો નવો નક્શો જાહેર કર્યો જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચિન સહિત ગુજરાતના જૂનાગઢ પર પોતાનો દાવો કર્યો છે.
I am Gujarat ministry of foreign affairs react on pakistan new map
પાકિસ્તાનના નવા નક્શા સામે ભારતના વિદેશ મંત્રાલયે આપ્યો વળતો જવાબ


વિદેશ મંત્રાલયનો જવાબ
પાકિસ્તાન દ્વારા નવા જાહેર કરેલા નક્શા બાદ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ આ હાસ્યાસ્પદ દાવાઓની કાનૂની માન્યતા નથી અને નથી કોઈ આંતરાષ્ટ્રીય વિશ્વસનિયતા. આ ક્ષેત્રીય વિસ્તારથી પાકિસ્તાન સીમા પારથી આતંકવાદની સહાય કરવા માટેની તૈયારીઓની પુષ્ટિ કરે છે.

ઈમરાન ખાને જાહેર કર્યો નક્શો
ઈમરાન ખાને કેબિનેટની બેઠક બાદ દેશનો નવો પોલિટિકલ મેપ જાહેર કર્યો. આ મેપમાં સિયાચિનને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ જાહેરાત કરતા દાવો કર્યો કે ભારતે અહીં ખોટી રીતે નિર્માણ કરાવી રહ્યું છે. એટલું જ નહીં, આ સાથે સર ક્રીકમાં ભારત સાથે તેમનો વિવાદ છે, પાકિસ્તાનને કહ્યું છે કે આ વિસ્તાર પર પોતાનો દાવો વ્યક્ત કર્યો છે.


આ વખતે જૂનાગઢને પણ પાકિસ્તાનમાં હોવાનું ગણાવ્યું
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પાકિસ્તાન પહેલા પણ દાવો કરતું રહ્યું છે. પરંતુ આ વખતે ગુજરાતના જૂનાગઢનો એક ભાગ પાકિસ્તાનનો હોવાનો દાવો કર્યો છે. આ વિસ્તારોને 'અનડિફાઈન્ડ ફ્રંટિયર' જાહેર કર્યા છે. રિપોર્ટનો દાવો છે કે હવે પાકિસ્તાન આ નક્શાને સંયુક્ત રાષ્ટ્ર સામે રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો