એપશહેર

પ્રિયંકા ગાંધીનો આરોપ : મોદી સરકારે 'અમીર દોસ્તો'નું 8 લાખ કરોડનું દેવું માફ કર્યું

Shailesh Thakkar | I am Gujarat 23 Feb 2020, 11:26 pm
નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેણે પોતાના પૂંજીપતિ મિત્રોનું મોટું દેવું માફ કરી દીધું. પ્રિયંકા ગાંધીએ રવિવારે સવાલ કર્યો કે, તે લાભાર્થિઓના નામ સાર્વજનિક કેમ નથી કરાઈ રહ્યાં જેમની લોન માફ કરવામાં આવી છે. પ્રિયંકાએ આગળ કહ્યું કે, નરેન્દ્ર મોદીના ધનિક મિત્રોનું લગભગ આઠ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દેવાયું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:પ્રિયંકા ચોપરાએ એક ન્યૂઝ ટ્વીટ કરી છે, જેમાં પબ્લિક ક્ષેત્રોની બેંકના NPA વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રિયંકાએ ટ્વીટર પર લખ્યું, ‘ભાજપ સરકાર મોદીજીના મૂડીપતિ મિત્રોના આઠ લાખ કરોડ રૂપિયા માફ કરી ચૂકી છે. બ્લેકમની રાખનારાઓના નામ સાર્વજનિક કરવાનો દાવો કરનારી સરકાર આ લોકોના નામ કેમ સાર્વજનિક કરી રહી નથી? તેમની લોન કઈ પ્રક્રિયાથી માફ કરવામાં આવી?’એક અન્ય ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, ‘જ્યારે આપણા દેશના ખેડૂતો દેવા નીચે દબાયેલા છે, ત્યારે કોઈ નીતિ અંતર્ગત ભાજપે પોતાના અમીર મિત્રોના દેવા માફ કર્યાં? સરકાર આ સવાલોથી બચી નથી શકતી.’ પાર્ટી મહાસચિવ પ્રિયંકાની આ ટ્વીટ્સની એક દિવસ પહેલા જ કોંગ્રેસે માંગણી કરી હતી કે, દેવા માફીની પ્રક્રિયા તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરવામાં આવે. આ મામલે સરકાર કે ભાજપે તત્કાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી.કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ક્રેડિટ સુઈસ રિપોર્ટનો હવાલો આપતા શનિવારે આરોપ લગાવ્યો હતો કે, મોદી સરકારે પાંચ વર્ષોમાં સત્તાના નજીકના મિત્રોના સાત લાખ 77 હજાર 800 કરોડ રૂપિયા માફ કરી દીધા. તેમણે સવાલ કર્યો હતો કે, તે ખેડૂતોને દેવામાં કેમ રાહત આપતી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો