પટણાઃ બિહારના મુઝફ્ફરપુરમાં અક્યૂટ ઈસેફલાઈટિસ સિન્ડ્રોમ (AES)નો પ્રકોપ યથાવત છે. પાછલા 24 કલાકમાં વધુ 20 બાળકોના મોત થઈ ચૂક્યા છે. બિહારમાં અત્યાર સુધી 93 બાળકોનો જીવ આ તાવના કારણે ગયો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મુઝફ્ફરપુરમાં શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજની હોસ્પિટલની મુલાકાત લીધી અને બિમારીના પ્રકોપ પર ચિંતા વ્યક્ત કરી. હર્ષવર્ધન સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની ચૌબે અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે પણ ઉપસ્થિત હતા. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો હર્ષવર્ધને સ્વાસ્થ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે ડોક્ટરો સાથે હાઈ લેવલની મીટિંગ કરી. નિરિક્ષણ દરમિયાન જ્યારે હર્ષવર્ધન એક ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહેલી માતાને મળ્યા ત્યારે તેમને સ્થિતિનો આભાસ થયો. આ માતાએ તે જ સમયે પોતાનો 5 વર્ષના બાળક ગુમાવ્યો હતો. સૂત્રો મુજબ હર્ષવર્ધનના ચાર કલાકના પ્રવાસ દરમિયાન જ 3 બાળકોના મોત થઈ ગયા. તેનાથી મંત્રી અને સ્વાસ્થ્ય અધિકારી પણ દંગ રહી ગયા. 115 બાળકો સારવાર હેઠળ હર્ષવર્ધનને બીમાર બાળકના પરિવારને કહ્યું કે, બીમારી પર કાબૂ મેળવવા માટે સરકાર કોઈ કસર બાકી નહીં રાખે. બધા શક્યા પગલાઓ ઉઠાવશે. હર્ષવર્ધને દિલ્હી પાછા જતા પહેલા વધુ એક સમીક્ષા બેઠક કરી હતી. મુઝફ્ફરપુર સિવિલ સર્જન એસપી સિંહે જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં AESના કારણે 76 બાળકોના માત થયા હતા. એસપી સિંહે જણાવ્યું કે હાલમાં બંને હોસ્પિટલોમાં 115 બાળકોની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ જણાવ્યું કે ડોક્ટરોની ટીમ અને પર્યાપ્ત સંખ્યામાં પેરામેડિકલ સ્ટાફ પટણાથી મુઝફ્ફરપુર મોકલાયો છે. 100 કરોડનો ખર્ચ બિહારના મુઝફ્ફરપુરમાં દરવર્ષે એક જ બીમારીથી બાળકોના મોત થાય છે. રોકવાના નામ પર અમેરિકા અને જાપાન સુધીનો પ્રવાસ થાય છે પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. આ વખતે પણ બાળકોની મોતનો સીલસીલો યથાવત છે. અત્યાર સુધી સરકારે આ બીમારીને રોકવા રિસર્ચ અને સારવાર શોધવા પાછળ 100 કરોડ રૂપિયાથી વધુનો ધૂમાડો કરી નાખ્યો છે છતાં બાળકોની મોતો થઈ રહી છે. રિપોર્ટ મુજબ જે બાળકોનું ઘરે અથવા નાની હોસ્પિટલમાં મોત થયું છે તેમનો આંકડો શામેલ કરવામાં આવ્યો નથી. યુપીના ગોરખપુરમાં આ બીમારીથી બચાવ માટે રસીકરણ સફળતાપૂર્વક થયું. જેનાથી બીમારી 60 ટકા સુધી કાબૂમાં આવી ગઈ. સવાલ તે ઊઠી રહ્યો છે કે જ્યારે ગોરખપુરમાં રસીકરણ થયું તો આવું મુઝફ્ફરપુરમાં કેમ ન થઈ શક્યું. ઈન્સેફલાઈટિસનો શિકાર થયેલા સૌથી વધુ બાળકો ગોરખપુર અને મુઝફ્ફરપુરમાં રહ્યા છે.