લતા મિશ્રા, મુંબઈસાયન હોસ્પિટલના 6 ડોક્ટરો સવારે 3 વાગ્યે ઈમરજન્સી ઓપરેશનમાંસોમવારની વહેલી સવારે ડોક્ટરોની આ ટીમ એક દોઢ વર્ષના બાળકનું ઓપરેશન કરવા ભેગા થયા હતા, કે જે બ્રેન હેમરેજથી પીડિતું હોઈ તેની તાત્કાલિક સર્જરી કરવાની જરૂર ઊભી થઈ હતી. એક દિવસ પહેલા જ આ બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialઆ સર્જરીમાં મોટો પડકાર હતો બાળકને એનેસ્થેસિયા આપવાનો. કેમકે, દોઢ વર્ષના આ બાળકના સૂજી ગયેલા ફેફસાને ધ્યાનમાં રાખીને તેને એનેસ્થેસિયાનો ડોઝ આપવાનો હતો.અઢી કિલો વજનના આ બાળકને જ્યારે એનેસ્થેશિયા આપવા માટે તેની ઘણું નજીક જવું જરૂરી હતું કે જેથી તેના મોંમાં થઈને એર-વે સુધી પાઈપ નાખી શકાય. આ કેસમાં એનેસ્થેટિસ્ટે પહેરેલા કોરોના સામે રક્ષણ આપતા હેવી ગ્લાસીસ અને ગ્લાસ શિલ્ડ બાળકની નજીક જવા સામે અડચણરૂપ બનતા હતા ,જેના કારણે તેનો એર-વે સ્પષ્ટ જોઈ શકાતો ન હતો. એક-એક ક્ષણ કિંમતી હોવાથી એનેસ્થેટિકે કોરોના સામેનું રક્ષણાત્મક કવચ કાઢી નાખ્યું અને બાળકના મોંમાં પાઈપ નાખી દીધી. એનેસ્થેટિકને હવ 14 દિવસ ક્વારન્ટીન રહેવું પડશે. ડોક્ટરોની આ ટીમે લીડ કરનારા ન્યુરોસર્જરીના હેડ ડો. આલોક વર્માએ જણાવ્યું કે, આ બાળકને ઘણો કફ રહેતો હોવાની અને ઠંડી ચડતી હોવાની ફરિયાદ બાદ સાયન હોસ્પિટલમાં 13 મેએ દાખલ કરાયું હતું. તેનો 15 મેએ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેની કોરોના વાયરસની સારવાર ચાલી રહી હતી.સમસ્યા ત્યારે ઊભી થઈ કે જ્યારે ગત રવિવારે મોડી સાંજે બાળકને આંચકી આવવું શરૂ થઈ ગયું અને તેનો સીટી સ્કેન કરાવતા જાણવા મળ્યું કે, તેના ડાબા મગજમાં લોહી જામી રહ્યું છે. મેડિકલ ટર્મમાં તેને ‘સબડ્યુરલ હેમાટોમા’ કહેવાય છે. બાળકનું તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી હતું.આવા મુશ્કેલ સમયમાં કે જ્યારે કોરોના વાયરસના ઉલ્લેખ માત્રથી લોકો દૂર ભાગી જાય છે, ત્યારે છ ડોક્ટરોની ટીમ સવારે 6 વાગ્યે ઓપરેશન કરવા તૈયાર થઈ ગઈ.3 કલાક ચાલેલા આ ઓપરેશનમાં બાળકની ખોપડીમાં કાણું પાડવાનો પણ સમાવેશ થતો હતો. તેને burr hole કહેવામાં આવે છે. જેથી મગજમાં ભેગું થયેલું લોહી બહાર કાઢી શકાય. 40 એમએલ લોહી બહાર કઢાયું એ સાથે જ બાળકના ન્યુરોલોજિકલ પેરામીટર્સએ ઈમ્પ્રુવમેન્ટ દર્શાવવાનું શરૂ કર્યું અને પછી તેને કોવિડ019 પોઝિટિવ હોય તેવા નવજાત બાળકો માટે બનાવાયેલાઆઈસોલેશન વોર્ડમાં ખસેડાયો.ડો. શર્માએ કહ્યું કે, બીજી સમસ્યાઓ સાથેનો 2.5 કિલોના કોરોના પોઝિટિવ દર્દી અને ખોપડીમાં મોટુ હેમાટોમા એનેસ્થેસિયા, ઓપરેશન અને ઓપરેશન પછી પણ ઘણી પડકારરૂપ બાબત હતી. હાલમાં બાળક વેન્ટિલેટર પર છે અને ઓબ્ઝર્વેશન હેઠળ છે.આ ઓપરેશન કરનારી ટીમમાં ડો. શર્માની સાથે ડો. મોના ગજેરા, ડો. ક્ષિતિજા મહાજન, ડો. પ્રકાશ પલ્લવ, ડો. સાગર ગવળી અને ડો. હેમંત કુમાર હતા.બાળકના પિતા સતીશ પવાર એક લેબ ટેકનિશિયન છે. જ્યારે બાળકની માતા અવની પવાર હાઉસવાઈફ છે. આ બંનેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સતીશે પોતાના બાળકનો જીવ બચાવનારા ડોક્ટરોનો આભાર માન્યો.