એપશહેર

આમણે IITiansને કરી મુક્યા છે પરેશાન

I am Gujarat 14 Sep 2016, 3:08 pm
યોગીતા રાવ, મુંબઇઃ IITiansનો સૌથી મોટો ડર અભ્યાસ નહીં પણ હાલના સમયે વાનરો બની ગયા છે. ડઝનેક કરતા વધુ વાંદરાઓએ મુંબઇ આઇઆઇટી કેમ્પસને જાણે બાનમાં લીધું છે. અહીંની ઓછામાં ઓછી 4 હોસ્ટેલ્સમાં રહેતા વિદ્યાર્થીઓને વાંદરાઓના હુપાહુપના અવાજને કારણે વહેલું ઉઠી જવું પડે છે. અહીં વાનરો વિદ્યાર્થીઓ પાસેથી માત્ર ખાવાનું જ નથી આંચકી રહ્યાં પણ અનલોક હોસ્ટેલ્સમાં મોંઘી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ તોડી રહ્યાં છે, ડસ્ટબીન ઉથલાવી રહ્યાં છે અને વિદ્યાર્થીઓના ખાલી બેડ પર ઉંઘી પણ રહ્યાં છે.
I am Gujarat mumbai iitians biggest fear is monkey
આમણે IITiansને કરી મુક્યા છે પરેશાન


એક ફાઇનલ યરના વિદ્યાર્થીએ જણાવ્યું કે ‘કેમ્પસમાં ઠેર ઠેર વાંદરાઓ જોવા મળે છે, તેમની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ઓપન બાલ્કની સાથેના ઇનમેટ્સને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.’ કેમ્પસની ઓનલાઇન મેગેઝિનમાં વિદ્યાર્થીઓ આ મુદ્દાને ઉજાગર પણ કર્યો છે.

પવઇ અને આસપાસના વિસ્તારોમાં થયેલા રેપિડ અર્બનાઇઝેશને કારણે વાનરો અને માનવ વચ્ચેનું અતર ઘટી ગયું છે. ત્યારે પ્રોફેર્સના કેમ્પસમાં વાનરોના ત્રાસને માત્ર ‘સીઝનલ’ ગણાવી રહ્યાં છે. જોકે, તેમના દ્વારા વિદ્યાર્થીઓ સાવચેત રહેવા પણ જણાવાયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો