એપશહેર

મુંબઈઃ પૂર્વ નેવી અધિકારીનો આરોપ, પહેલા શિવસૈનકોએ માર્યો પછી ઘરે આવી મુંબઈ પોલીસ

પૂર્વ નેવી અધિકારીએ શિવસેના પર ખૂબ મોટો આરોપ મૂક્યો. દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર અધિકારી સાથે શિવસૈનિકોની દાદાગીરી.

Navbharat Times 12 Sep 2020, 2:28 pm
મુંબઈઃ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લગતા કાર્ટૂનને વોટ્સએપ પર ફોરવર્ડ કરવા બદલ શિવસેના દ્વારા હિંસાનો ભોગ બનેલા ભૂતપૂર્વ નેવી અધિકારીએ કહ્યું કે દેશમાં દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. સરકારે આવી નાની નાની વાતોને બદલે મોટી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે શિવ સૈનિકોએ પહેલા હુમલો કર્યો અને ત્યારબાદ પોલીસને પણ ઘરે મોકલી દેવાઈ. દરમિયાન પકડાયેલા છ આરોપીઓને પણ જામીન મળી ગયા છે.
I am Gujarat mumbai navy officer alleged shivsena workers for attack says everyone have freedom of expression
મુંબઈઃ પૂર્વ નેવી અધિકારીનો આરોપ, પહેલા શિવસૈનકોએ માર્યો પછી ઘરે આવી મુંબઈ પોલીસ


મુંબઇના સમતા નગરમાં હિંસાનો ભોગ બનેલા નિવૃત્ત નૌકાદળના અધિકારી મદન શર્માએ કહ્યું કે, દેશમાં દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. વોટ્સએપ એ દરેક સાથે જોડાવાનું એક માધ્યમ છે. જ્યાં કોઈ સંદેશ અથવા કાર્ટૂન ક્યાંથી બને છે તેના પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે. મેં એક ફોરવર્ડ થયેલા કાર્ટનને વોટ્સએપ ગ્રૂપ પર શેર કર્યું છે. આ પછી શિવસેનાના કેટલાક લોકોએ મને ફોન કર્યો અને મને ગેટ પર વાતચીત માટે બોલાવ્યા. જ્યારે હું ગેટ પર ગયો ત્યારે કોઈ વાત નહીં પણ માર મારવામાં આવ્યો હતો.

એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં પીડિત અધિકારીએ કંગના રાનૌતના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે, "મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી શિવસેના દ્વારા આવી ઘટનાઓ બની રહી છે." મેં મારું જીવન દેશની સેવામાં વિતાવ્યું છે, કોઈ રાજ્ય માટે નહીં. શિવ સૈનિકોએ મને માર માર્યો હતો. આ પછી પોલીસને પણ મારા ઘરે મોકલવામાં આવી હતી. કોઈપણ વાતચીત કર્યા વિના મારી સાથે મારપીટ શરૂ કરી દેવામાં આવી.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 65 વર્ષીય મદન શર્માએ ભાજપ અથવા અન્ય કોઈ પણ સંગઠન સાથે પોતાનું જોડાણ હોવાનું સ્પષ્ટ રીતે નકારી દીધું છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ સુધરી રહી છે. તેમની પુત્રી શીલા શર્માએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે શિવસેનાના કેટલાક માણસોએ તેમના પિતા પર હુમલો કર્યા પછી મુંબઈ પોલીસ ઘરે આવી અને પિતાને પોતાની સાથે લઇ જવા માટે દબાણ કરી રહી હતી.

પૂર્વ નેવી અધિકારીને માર મારવાના કેસમાં ધરપકડ કરાયેલા 6 શિવ સૈનિકોને જામીન મળી ગયા છે. મુખ્ય આરોપી શિવસેના કાર્યકર કમલેશ કદમ છે. મુંબઈ પોલીસે તેની રાતોરાત ધરપકડ કરી હતી. જોકે શનિવારે સવારે જ તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો