એપશહેર

Ram Mandir: કુલ 175 મહેમાનોને રામ મંદિર ટ્રસ્ટનું આમંત્રણ, આડવાણી-જોશી નહીં જાય અયોધ્યા!

બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોશી અયોધ્યાના રામ મંદિર ભૂમિ પૂજન સમારોહમાં હાજરી નહીં આપે. રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા આશરે 175 લોકોને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

I am Gujarat 3 Aug 2020, 11:35 am
અયોધ્યાઃ રામ મંદિર (Ram Mandir Ayodhya)ના ભૂમિ પૂજન સમારોહમાં દેશના સંતો, નેતાઓ અને રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા આશરે 175 લોકોને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી (Lal Krishna Advani) અને મુરલી મનોહર જોશી (Murli manohar joshi) અયોધ્યા નહીં જાય. બન્ને નેતા વિડીયો કોન્ફરન્સ દ્વારા સમારોહમાં હાજરી આપશે.
I am Gujarat murli manohar joshi and lal krishna advani not in 175 guests of ayodhya bhumi poojan
Ram Mandir: કુલ 175 મહેમાનોને રામ મંદિર ટ્રસ્ટનું આમંત્રણ, આડવાણી-જોશી નહીં જાય અયોધ્યા!


કુલ 175 મહેમાનોને અપાયું આમંત્રણ
સૂત્રોના જણાવ્યાનુસાર, આડવાણી-જોશી જેવા 10 બુઝુર્ગ નેતા અને સંત છે. જે વિડીયો કોન્ફરન્સ દ્વારા ભૂમિ પૂજન અને શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. વિડીયો કોન્ફરન્સની વ્યવસ્થા કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર તમામ વ્યવસ્થા સંભાળી રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સચિવ ડૉ.અનિલ મિશ્ર અનુસાર કાર્યક્રમમાં સમાવેશ થનાર મહેમાનોનું લિસ્ટ ઘટાડીને 175 કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસના કારણે નાનું થયું મહેમાનોનું લિસ્ટ

ભૂમિ પૂજનમાં સમારોહ માટે 200 લોકોનું લિસ્ટ પીએમઓને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મોકલવામાં આવ્યું હતું. જોકે, કોરોનાવાયરસ સંકટના કારણે મહેમાનોનું લિસ્ટ નાનું કરવામાં આવ્યું છે. હવે 170 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ટ્રસ્ટના સ્થાનિક પ્રતિનિધિ અને અયોધ્યાના સંત મહંતને 50 લોકો તેમજ મંદિર આંદોલન સાથે જોડાયેલા મહત્વના લોકો અને દેશભરના સંત-મહાત્માઓ તેમજ અતિથિઓ અને ઉદ્યોગ જગતના લોકો એમ 50 લોકોનો સમાવેશ થાય છે.

મહાસચિવ ચંપત રાય તરફથી મોકલવામાં આવ્યું નિમંત્રણ
એક ઓગસ્ટના રોજ મથુરાના સંત રાજેન્દ્ર દેવાચાર્ય અને અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ પત્ર ટ્રસ્ટ મહાસચિવ ચંપત રાય તરફથી મોકલવામાં આવ્યું છે. આ પહેલા ભાજપાના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીએ 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજનમાં હાજરી આપશે તેવી પુષ્ટિ કરી છે. આ ઉપરાંત સાધ્વી ઋતુંભરા, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહે પણ અયોધ્યા જવાની પુષ્ટિ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો