એપશહેર

જે 'ભારત માતા કી જય' બોલશે તે જ આ દેશમાં રહી શકશે- કેન્દ્રિય મંત્રી

Yogesh Gajjar | I am Gujarat 29 Dec 2019, 12:00 pm
નાગરિકતા સંશોધન એક્ટ અને રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટરના વિરોધ પર કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે શું આ દેશને આપણે ધર્મશાળા બનાવીશું? ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, શું ભગત સિંહ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું બલિદાન બેકાર જશે? શું લોકોએ સ્વતંત્રતા માટે એટલા માટે લડાઈ લડી જેથી આઝાદીના 70 વર્ષ બાદ દેશ તેના પર વિચાર કરશે કે નાગરિકતા ગણવી કે ન ગણવી જોઈએ. શું આ દેશને આપણે ધર્મશાળા બનાવીશું?હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NRCનો વિરોધ કરી રહેલા લોકો પર શનિવારે નિશાન સાધ્યું. ધર્મેન્દ્ર પ્રધાને વિરોધ કરનારાઓને સવાલ કર્યો કે તેઓ દેશને ‘ધર્મશાળા’ બનાવવા ઈચ્છે છે. તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક સમારોહમાં કહ્યું કે, ભગત સિંહ અને સુભાષ ચંદ્ર બોઝ જેવા લોકોએ દેશની આઝાદી માટે પોતાનું જીવન આપી દીધું.ધર્મેન્દ્ર પ્રધાને સવાલ પૂછ્યો કે, શું હવે આપણે આપણા દેશને દર્મશાળા બનાવવા જઈ રહ્યા છીએ. જ્યાં કોઈપણ રોક-ટોક વિના ફરી શકે. બીજેપી નેતાએ કહ્યું, આથી આપણે આ પડકારનો સ્વીકાર કરવો પડશે અને તે સુનિશ્ચિત કરવું પડશે કે માત્ર એવા લોકો જ અહીં રહી શકે જે ‘ભારત માતાની જય’ કહેવા માટે તૈયાર છે.ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન એક્ટને લઈને હજુ પણ દેશભરમાં વિરોધ કરાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવાલે તમિલનાડુમાં તૌહીદ જમાતે આ કાયદા વિરુદ્ધ વિરોધ રેલી કાઢી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ મંબઈમાં આ કાયદા વિરુદ્ધ મુંબઈમાં રેલીનું આયોજન કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો