એપશહેર

પોતાના નવા ઘરે આવેલા ચિત્તા તેના કુદરતી સ્વભાવ કરતા અલગ રૂપમાં કેમ દેખાયા?

ભારત આવેલા ચિત્તાને જ્યારે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા ત્યારે તેમનું જે ખુંખારપણું છે તે જોવા મળ્યું નહતું, ચિત્તા પિંજરામાંથી બહાર નીકળીને દબાતા પગે આગળ વધતા હતા અને ચારે તરફ જોયા પછી જ આગળ ડગલું માંડતા હતા. આ ચિત્તા પોતાના નવા ઘરે આવ્યા પછી કોઈ નવી જ જગ્યા પર આવી ગયા હોવાનું અનુભવી રહ્યા છે. પરંતુ હવે તેમના માટે નવી જગ્યા અનુકૂળ બને તે માટેની તમામ વ્યવસ્થાઓ કુનો નેશનલ પાર્કમાં ઉભી કરવામાં આવી છે.

Edited byTejas Jingar | I am Gujarat 19 Sep 2022, 4:37 pm

હાઈલાઈટ્સ:

  • મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયા છે 8 ચિત્તા
  • ચિત્તાને પિંજરામાંથી છોડવામાં આવ્યા ત્યારે અલગ રૂપમાં જોવા મળ્યા
  • જોકે, સમય જતા નવા મહેમાન બનેલા ચિત્તાના વર્તનમાં સુધાર જોવા મળ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Cheetahs
ચિત્તો
ભારતમાં હાલ નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તા સૌથી મોટો ચર્ચાનો વિષય છે. સોશિયલ મીડિયાથી લઈને ગ્રુપ ચેટમાં પણ આ વિષય ચર્ચાઈ રહ્યો છે. પરંતુ હજુ નાબિયાથી આવેલા ચિત્તાને 4 દિવસ નથી થયાને ત્યાં તો નવી-નવી વિગતો સામે આવી રહી છે. આ 8 ચિત્તાને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 નવેમ્બરે છોડવામાં આવ્યા હતા. જોકે, તેમના નવા હવામાન સાથે સેટ થવામાં સમય લાગી શકે છે. હાલ તેઓ ક્વોરન્ટાઈન છે અને તેમને અહીં વાતાવરણ કંઈક અલગ લાગી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાને મૂક્યા કર્યા હતા. આ ચિત્તાને હાલ ક્વોરન્ટાઈન પિરિયડ સુધી કુનો નેશનલ પાર્કના શ્યોપુર ગામમાં રાખવામાં આવ્યા છે. ભારતમાં 1952માં ચિત્તા ગાયબ થયા પછી ફરી એકવાર તેનું દેશમાં અસ્તિત્વ ઉભું કરવા માટે ચિત્તા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આગામી સમયમાં ચિત્તાની સંખ્યાને હજુ વધારવામાં આવશે.

હાલ ચિત્તાઓને જે નવું ઘર મળ્યું છે તેને લઈને તેમનામાં કેટલાક સંશય હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ચિત્તાને જેવા પાંજરામાંથી છોડવામાં આવ્યા તો પહેલા ચિત્તાએ નવા જંગલમાં એન્ટ્રી કરી ત્યારે ખચકાટ થતો હોય તેવું સ્પષ્ટ થતું હતું. આવું જ અન્ય ચિત્તામાં પણ જોવા મળ્યું કે તેમને ઘાસમાં છોડાવામાં આવ્યા ત્યારે તેઓ ખચકાટ અનુભવી રહ્યા હતા. સામાન્ય રીતે ચિત્તાનો મોઢાથી આંખ સુધી જોડાયેલી લાઈન અને ઉભા કાનવાળો ફોટો હોય તેનાથી અલગ જ સ્વરૂપમાં જોવા મળ્યા હતા. પરંતુ તેને નવા ઘરમાં સેટ થતા થોડો સમય લાગી શકે છે.

ચિત્તા પિંજરામાંથી બહાર આવ્યા પછી ખચકાતા બહાર આવીને ડરતા હોય તેવું દેખાઈ રહ્યું હતું, આ પાછળનું કારણ એ છે કે તેમના માટે આ જગ્યા એકદમ નવી હતી અને તેમણે કેટલાક કલાકો સુધી પિંજરામાં જ રહેવું પડ્યું હતું. આ ચિત્તાઓને નામિબિયાથી તેમના નવા ઘર માટે 8000 કિલોમીટર દૂર આવવું પડ્યું છે. જેના કારણે તેમને જ્યારે પાંજરામાંથી છોડવામાં આવ્યા ત્યારે એક ડર જોવા મળ્યો હતો. આ ચિત્તાને પાંજરામાંથી છોડાયા ત્યારે તે દબાયેલા પગે બહાર નીકળ્યા અને ભાગીને એક ઝાડની નીચે ઉભા રહી ગયા હતા. આ સિવાય ચિત્તા જે પણ જગ્યાએ જાય તેઓ ચારે તરફ પોતાનું મોઢું ફેરવીને સુનિશ્ચિત કરી રહ્યા હતા કે તેમની આસપાસ કોઈ ખતરો તો નથીને.

જોકે, શરુઆતમાં અને તેમને પિંજરામાંથી છોડવામાં આવ્યા ત્યારે જે પ્રકારનો જોવા મળ્યો હતો તેના કરતા બીજા દિવસની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. ધીમે-ધીમે તેઓ પોતાના નવા ઘર સાથે સેટ થતા દેખાઈ રહ્યા છે. જોકે, તેમને થોડા દિવસ પછી મોકળું મેદાન મળશે જેમાં તેમના માટે ભોજન સહિતની ખાસ વ્યવસ્થાઓ કરી રાખવામાં આવી છે.

Read Latest National News And Gujarati News

Read Next Story