એપશહેર

જે માતાની ન થઈ તે મોદીની શું થવાની?: કૃષ્ણા પટેલ

I am Gujarat 5 Jul 2016, 5:59 pm
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મિરઝાપુરથી લોકસભા ચૂંટણી જીતનારાં અપના દળનાં અનુપ્રિયા પટેલને મોદી કેબિનેટના વિસ્તરણમાં રાજ્યમંત્રી બનાવાયાં છે, પરંતુ મંત્રી બન્યા બાદ તેમનાં માતા કૃષ્ણા પટેલે ફરી તેમની પર હુમલો કર્યો છે. કૃષ્ણાએ એક ટીવી ચેનલને કહ્યું છે કે, ‘જે માતાની સગી ન થઈ, તે મોદીની શું થવાની?’
I am Gujarat narendra modis cabinet expansion anupriya patel mother targets her
જે માતાની ન થઈ તે મોદીની શું થવાની?: કૃષ્ણા પટેલ


કૃષ્ણા પટેલે એવો પણ દાવો કર્યો છે કે, તેમણે ગયા વર્ષે જ અનુપ્રિયાને પાર્ટીમાંથી બહાર કરી દીધાં હતાં. તેમણે કહ્યું હતું કે, ભાજપે જે લાલચથી અનુપ્રિયાનો કેબિનેટમાં સમાવેશ કર્યો છે, તે જલદી જ સ્પષ્ટ થઈ જશે.

હાલ બંને વચ્ચે પાર્ટીમાં વર્ચસ્વ મામલે લડાઈ ચાલી રહી હોવાના અહેવાલો આવતા રહે છે. બંને વચ્ચે તણાવ એટલી હદે વધી ગયો છે કે, કૃષ્ણા પટેલે અનુપ્રિયાના શપથગ્રહણ સમારંભ વખતે ટીવી ચાલુ જ કર્યું નહોતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો