એપશહેર

શરદ પવારે વધાર્યું સસ્પેન્સ, કહ્યું 'સરકાર માટે ભાજપ અને શિવસેનાને પૂછો મને નહીં'

Mitesh Purohit | Navbharat Times 18 Nov 2019, 12:13 pm
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને હજુ પણ ચિત્ર સ્પષ્ટ નથી થયું. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેનાએ NCP અને કોંગ્રેસ તરફ હાથ લંબાવ્યો છે જોકે આ બંને પક્ષો તરફથી હજુ સુધી જાહેરમાં ક્યારેય શિવસેના સાથે જોડાણની વાતને સ્પષ્ટ કરવામાં આવી નથી. આજે આ મામલે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે મુલાકાત યોજાવાની છે. ત્યારે બધાની નજર આ મુલાકાત પર રહેશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:આ મુલાકાત માટે NCPના સુપ્રીમો શરદ પવાર દિલ્હી પહોંચી ચૂક્યા છે. જોકે અહીં પહોંચીને તેમણે અલગ જ ધડાકો કરતા સસ્પેન્સ હજુ વધી ગયું છે. જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે પત્રકારોએ પૂછેલા મહારાષ્ટ્રમાં સરકાર ગઠન અંગેના સવાલ પર જવાબ આપતા શરદ પવારે કહ્યું કે, ‘સરકાર બનાવવા અંગે મને નહીં ભાજપ અને શિવસેનાને જઈને પૂછવું જોઈએ.’જોકે પવારે એ બાબતની પુષ્ટી કરી કે આજે તેઓ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. જોકે આ સમય અંગે તેમણે કંઈ નથી જણાવ્યું. તેમણે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સવાલનો ટાળ્યા તેટલું જ નહીં સોનિયા ગાંધી સાથેની આ બેઠકને શિષ્ટાચાર બેઠક ગણાવી હતી. સ્પષ્ટ છે કે પવાર હજુ પણ રાજકરણના અઠંગ ખેલાડીની જેમ પોતાના પત્તા ખોલવા માગતા નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો