એપશહેર

એનસીપી સુપ્રીમો શરદ પવારને પેટમાં દુખાવો, 31 માર્ચે કરવામાં આવશે સર્જરી

એનસીપીના વડા શરદ પવારની તબીયત ખરાબ થતાં તેમને ચેક અપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા

I am Gujarat 29 Mar 2021, 5:32 pm
એનસીપીના સુપ્રીમો અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારની તબીયત ખરાબ થઈ હોવાના અહેવાલ છે. તેમની પાર્ટીએ આ અંગે જાણકારી આપી છે. તબીયત ખરાબ હોવાના કારણે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એનસીપી એ જણાવ્યું છે કે તપાસમાં સામે આવ્યું છે કે તેમના ગોલ બ્લેડરમાં તકલીફ છે. 31 માર્ચે તેમની એન્ડોસ્કોપી અને સર્જરી કરવામાં આવશે.
I am Gujarat sharad pawar4


પાર્ટીના નેતા નવાબ મલિકે ટ્વિટ કરીને શરદ પવારની તબીયત અંગે જાણકારી આપી હતી. રવિવારે સાંજે શરદ પવારના પેટમાં થોડો દુખાવો થયો હતો. તેમને ચેકઅપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચેક અપમાં સામે આવ્યું છે કે તેમના ગોલ બ્લેડરમાં તકલીફ છે. તેમને લોહી પાતળું થવાની દવાના કારણે ડોક્ટરોએ તેમને તમામ દવાઓ બંધ કરવાનું કહ્યું હતું. 31 માર્ચે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જ્યાં એન્ડોસ્કોપી બાદ તેમની સર્જરી કરવામાં આવશે.

શરદ પવારની આ બીમારીના સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર સંકટનો સામનો કરી રહી છે. શિવસેના અને કોંગ્રેસ સાથે શરદ પવારની પાર્ટી એનસીપી પણ આ ગઠબંધન સરકારનો ભાગ છે.

નોંધનીય છે કે એવા મીડિયા અહેવાલ પણ હતા કે 80 વર્ષીય શરદ પવારે શનિવારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે એક ટોચના ઉદ્યોગપતિના ઘરે બેઠક યોજી હતી. રવિવારે નવી દિલ્હીમાં એક પત્રકાર પરીષદમાં અમિત શાહને પવાર સાથેની બેઠક અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે બધી જ બાબતો સાર્વજનિક કરવાની જરૂર હોતી નથી.

Read Next Story