એપશહેર

ચીનની ચાલ પર નેપાળની હરકત! ભારતના વિસ્તારો પર પોતાનો કબ્જો બતાવ્યો

Yogesh Gajjar | I am Gujarat 19 May 2020, 10:33 am
એવું લાગે છે કે નેપાળે ચીનના ઈશારાઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. પાડોશી દેશ પોતાનો નવો નકશો તૈયાર કરવા જઈ કહ્યો છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્તારો એવા હશે જે ભારતીય સરહદમાં આવે છે. સોમવારે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક દરમિયાન આ નક્શાને મંજૂરી અપાઈ. જે મુજબ, લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી નેપાળમાં છે. જ્યારે હકીકતમાં આ વિસ્તારો ભારતમાં આવે છે. નક્શો જાહેર થયા બાદ નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ કહ્યું, લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી વિસ્તાર નેપાળમાં આવે છે અને તેને પાછા લેવા માટે મજબૂત કૂટનીતિક પગલા ઉઠાવાશે. નેપાળના બધા વિસ્તારોને દર્શાવતા એક ઔપચારિક નક્શો જાહેર કરાશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:નેપાળ અને ભારતના સંબંધમાં તિરાડ?થોડા દિવસો પહેલા ધારચૂલાથી લિપુલેખ સુધી નવા રોડનું રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા ઉદ્ધાટન કરાયું હતું. આ રોડ પર નેપાળે આપત્તિ દર્શાવી હતી. આ રોડથી કૈલાશ માનસરોવર જનારા તીર્થયાત્રીઓ વચ્ચેનું અંતર ઘટી જશે. નેપાળના વિદેશમંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ ભારતના રાજદૂત વિયન મોહન ક્વાત્રાને સમન્સ પાઠવ્યું હતું. જવાબમાં ભારતે પણ પોતાની પોઝિશન સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં હાલમાં બની રહેલો રોડ સંપૂર્ણ રીતે ભારતનો વિસ્તારમાં છે. ગ્યાવલીએ સોમવાર એક ટ્વીટમાં જાણકારી આપી કે, કેબિનેટએ 7 પ્રાન્ત અને 77 જિલ્લા અને 753 સ્થાનવાળા નેપાળને નક્શાને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં લિંપિયાધુરા, લિપુલેક અને કાલાપાણી પણ હશે.ચીન નેપાળને ભડકાવી રહ્યું છેનેપાળના આવા વ્યવહાર માટે ભારત ચીનને જવાબદાર માની રહ્યું છે. શુક્રવારે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે એ સંકેત આપ્યા હતા કે નેપાળના લિપુલેખ મુદ્દાને ઉઠાવવા પાછળા કોઈ વિદેશી તાકાત હોઈ શકે છે. જનરલ નરવણેએ કહ્યું, મને ખબર નથી કે હકીકતમાં તે શા માટે ગુસ્સો કરી રહ્યું છે. પહેલા તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહોતી, કોઈ અન્યના ઈશારા પર આ મુદ્દો ઉઠાવી રહ્યું હોવાની એક સંભાવના છે.’ ચીનનું નામ ભલે ના લીધું હોય પરંતુ નેપાળમાં તેની દખલગીરી કોઈનાથી છુપાયેલી નથી.શું છે વિવાદ?હાલમાં વિવાદની શરૂઆત 1816માં થઈ હતી. ત્યારે બ્રિટિશોની સામે નેપાળના રાજા ઘણા વિસ્તારો હારી ગયા હતા, જેમાં લિપુલેખ અને કાલાપાણી સામેલ છે. બંને દેશ વાતચીત દ્વારા સરહદ વિવાદનું સમાધાન કાઢવાનું સમર્થન કરતા આવ્યા છે, પરંતુ હવે નેપાળના વલણમાં ફેરફારના સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે કે ચીને પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. નેપાળે હવે ચાંગરુમાં કાળાપાણી નજીક આર્મ્ડ પોલીસ ફોર્સની આઉટપોસ્ટ બનાવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો