એપશહેર

એસી ટ્રેનના ડબ્બામાં મુસાફરોને મળશે ઓપરેશન થિયેટર જેવી તાજી હવા

Tejas Jinger | Agencies 29 Jun 2020, 2:42 pm
નવી દિલ્હીઃ હવે ટ્રેનના એસી ડબ્બામાં ઓપરેશન થિયેટરની જેમ તાજી હવા મળશે. જેના કારણે કોરોના વાયરસનું સક્રમણ ફેલાવાનો ખતરો પણ ઘટી જશે. અધિકારીઓએ જણાવ્યું કે રાજધાની ટ્રેનોના રુટ્સ પર 12 મેથી દોડાવાઈ રહેલી 15 જોડી એસી ટ્રેનમાં આ ટ્રાયલ શરુ કરી દેવાઈ છે. આ પગલું કોરોના-19ના ખતરા વચ્ચે રેલવે મુસાફરી સુરક્ષિત કરવાની રેલવેને કોશિશનો ભાગ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: અધિકારીઓએ કહ્યં, “ટ્રાયલ હેઠળ એસી ડબ્બામાં લાગેલા માઉન્ટ એસી પેકેજ (RMPU) પ્રતિ કલાક 16-18 વખત હવાને બદલે છે, આવું જ ઓપરેશન થિયેટરમાં થાય છે.” હાલ એસી ટ્રેનમાં કલાકમાં 6-8 વખત હવા બદલાય છે. ડબ્બામાં છોડવામાં આવતી 80% હવા ફરી પહોંચાડેલી હવા હોય છે, એટલે કે હવા સર્ક્યુલેટ થતી રહે છે. તાજી હવા 20 જ હોય છે. જોકે, નવી વ્યવસ્થાથી વીજળીના વપરાશમાં 10-15% જેટલો વધારો થશે.એક અધિકારીએ આ અંગે જણાવ્યું કે, “મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમારે આ કિંમત ચૂકવવી પડશે. આ નવી સિસ્ટમ છે. એસી જે રીતે કામ કરે છે, તેમાં તે સર્ક્યુલેટ હવાનો ઉપયોગ કરે છે, જેથી બાગી જલદી ઠંડી થઈ જાય. જ્યારે અમે તાજી હવાનો ઉપયોગ કરીશું તો તેને ઠંડી થતા વધારે સમય લાગશે માટે વધારે વીજળીનો વપરાશ થશે.”રેલવે સેન્ટ્રલાઈઝ્ડ એસીનું સામાન્ય તાપમાન પણ 23 ડિગ્રી સેલ્સિયસથી વધારીને 25 ડિગ્રી સેલ્સિયસ કરી દેવાશે, કારણ કે કારણ કે મુસાફરોને ચાદર આપવામાં નહીં આવે. અધિકારીઓએ જણાવ્યું કે હેલ્થ એક્સપર્ટ્સની સલાહ પર રેલવેએ પોતાના નોન-એસી ડબ્બામાં પણ સુધાર કર્યો છે. તેમણે જણાવ્યું કે બીમારી ફેલાતી રોકવા માટે ખાસ કરીને રાજધાની ટ્રેનો પર એસી યુનિટ્સમાં પણ બદલાવ કરવાના સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશને લાગુ કર્યા છે.

Read Next Story