એપશહેર

કર્ણાટકઃ કુમારસ્વામી આ મોટો નિર્ણય લેશે તો કોંગ્રેસ સાથે દાવ થઈ જશે

Mitesh Purohit | I am Gujarat 27 Jul 2019, 8:26 am
બેંગલુરુઃ કર્ણાટકમાં લાંબા રાજકીય ડ્રામા બાદ ભાજપના બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથમાં લઇ લીધા છે. જો કે તેમની મુશ્કેલીઓ હજુ પણ ઓછી નથી. સરકાર સ્થિર બનાવી રાખવા માટે 29મી જુલાઇના રોજ તેમણે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે. આ બધાની વચ્ચે સમાચાર એ છે કે જેડીએસના કેટલાંક ધારાસભ્યોએ એચ.ડી.કુમારસ્વામીને કર્ણાટકમાં ભાજપ સરકારને સમર્થન આપવાની માંગણી કરી છે. આ મુદ્દા પર જેડીએસના નેતા શુક્રવાર રાતથી બેઠકમાં માથાકૂટ કરતાં રહ્યા. જો કે ધારાસભ્યોનું કહેવું છે કે આ અંગે આખરી નિર્ણય કુમારસ્વામી જ લેશે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો કર્ણાટકના પૂર્વ મંત્રી અને જેડીએસ નેતા જી.ટી.દેવગૌડા એ કહ્યું કે તેમની પાર્ટીના કેટલાંક ધારાસભ્યો એ એચડી કુમારસ્વામીને કર્ણાટકમાં ભાજપ સરકારને બહારથી સમર્થન આપવાની વાત કહી છે. જો કે તેમણે કહ્યું કે આ સંબંધમાં પૂર્વ મુખ્યમંત્રી અંતિમ નિર્ણય કરશે. સત્તામાંથી બહાર થયાના માત્ર ચાર દિવસ બાદ જ જેડીએસના ધારાસભ્ય આગળના પગલાંને લઇ વિભાજીત દેખાઇ રહ્યા છે. પાર્ટીના ભવિષ્યની રણનીતિના સંબંધમાં કુમારસ્વામી દ્વારા શુક્રવારે મોડી રાત્રે બેઠક બોલાવામાં આવી તેમાં ધારાસભ્યોમાં મતભેદ ઉભરીને સામે આવ્યા. કુમારસ્વામી લેશે અંતિમ નિર્ણય પક્ષના ધારાસભ્યોને મળ્યા બાદ જી.ટી દેવગૌડાએ કહ્યું કે, ‘અમે આગામી ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરી. કેટલાક સદસ્યોએ પોતાનો મત પણ રાખ્યો. કેટલાકનું માનવું છે કે આપણે વિપક્ષમાં બેસવું જોઈએ જોકે ઘણા ધારાસભ્યોનું કહેવું છે કે આપણે ભાજપ સરકારને બહારથી સમર્થન આપવું જોઈએ.’ મહત્વું છે કે મુખ્યમંત્રી પદની શપથ ભાજપના યેદિયુરપ્પાએ ભલે લીધી હોય પરંતુ તેમની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. 29 જુલાઇના રોજ સાબિત કરશે બહુમતી જો કે કર્ણાટકના નવનિમણૂક સીએમ બીએસ યેદિયુરપ્પાને 29મી જુલાઇના રોજ વિધાનસભામાં બહુમત પરીક્ષણ પાસ કરવાનું છે. હાલ 3 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા બાદ એસેમ્બલીની સ્ટ્રેંથ હજુ પણ 222 બનેલી છે. બહુમતી સાબિત કરવા માટે યેદિયુરપ્પાને 112 ધારાસભ્યોનું સમર્થન જોઇશે. એવામાં જરૂરી છે કે બળવાખોર ધારાસભ્ય યેદિયુરપ્પાની સરકારના સમર્થનમાં આવે અથવા તો વોટિંગ ના કરે અથવા તો પછી ગૃહની કાર્યવાહીમાં ભાગ ના લે. એવામાં ગૃહનું સંખ્યાબળ ઘટી જશે અને યેદિયુરપ્પા ગૃહમાં બહુમતી સાબિત કરી લેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો