એપશહેર

ભારતમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ વચ્ચે આવ્યા રાહતના સમાચાર

ભારતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, જો કોઈ વિસ્તારમાં પોઝિટિવિટી રેટ 14 દિવસમાં 5 ટકાથી ઓછો રહ્યો હોય તો તેને ગ્રીન ઝોન મનાય છે. તેનાથી ઉપરના પોઝિટિવિટી રેટના વિસ્તારો રેડ ઝોનમાં આવે છે.

TNN 29 Aug 2020, 11:38 am
નવી દિલ્હી: ભારતમાં કોવિડ -19ના વધતા જતા કેસોમાં એક રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લાં દોઢ મહિનાથી 100 પરીક્ષણો અનુસાર પુષ્ટિ થયેલ કેસોના આંકડા એટલે કે પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દર 14 દિવસે માપવામાં આવેલો આ દર ભારતમાં 15થી 28 જુલાઇની વચ્ચે 11.23% હતો અને 1થી 14 ઓગસ્ટ સુધી 8.8% થયો હતો. જોકે છેલ્લે 14 ઓગસ્ટ -27 ઓગસ્ટની વચ્ચે ઘટીને 7.9% થયો છે. જોકે, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, અને છત્તીસગઢ અને દિલ્હીની સ્થિતિ ચિંતાજનક છે. અમારા સહયોગી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના તાજેતરના અભ્યાસ મુજબ આ રાજ્યો સિવાય, કર્ણાટક, તામિળનાડુ અને પશ્ચિમ બંગાળમાં પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે.
I am Gujarat 5
પ્રતિકાત્મક તસવીર


જો કોઈ વિસ્તારમાં છેલ્લા 14 દિવસમાં કોઈ વિસ્તારનો પોઝિટિવિટી રેટ 5% કરતા તો તે રાહતનો શ્વાસ લઈ શકે છે. પ્રશાસન ત્યાં લોકડાઉનમાં કેટલીક છૂટછાટો પણ આપી શકે છે. પરંતુ 5 ટકા કરતા વધુના પોઝિટિવિટી રેટ ધરાવતા વિસ્તારો 'રેડ ઝોન' માં આવે છે. પોઝિટિવિટી રેટ જ્યાં સૌથી વધુ હોય ત્યાં જ સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યો છે પોઝિટિવિટી રેટ
શુક્રવાર સુધીમાં દેશના કોરોનાના કુલ કેસોની સંખ્યા 34 લાખ પહોંચી છે. જેમાંથી 22% કેસ એકલા મહારાષ્ટ્રના છે. છેલ્લા 14 દિવસથી પોઝિટિવિટી રેટ 19.6 ટકા રહ્યો છે. જોકે, 1થી 14 ઓગસ્ટની વચ્ચે ઘટીને 16.6% થઈ ગયો હતો. પરંતુ બાદમાં 14થી 27 ઓગસ્ટ દરમિયાન તે ફરીથી વધીને 19.6 ટકા થયો હતો. આ ઉપરાંત આન્ધ્રપ્રદેશમાં 16.6 ટકા અને દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 7.4 ટકા રહ્યો છે. ભારતનો પોઝિટિવિટી રેટ 8.8 ટકાથી ઘટીને 7.9 ટકા પર પહોંચ્યો છે. જે રાહતના સમાચાર છે.

ફરીથી રેડ ઝોન બનશે દિલ્હી?
છેલ્લા 14 દિવસનો પોઝિટિવિટી રેટ જોઈને લાગી રહ્યું છે કે, દિલ્હી ફરીથી રેડ ઝોન બનવા તરફ આગળ વધી રહ્યું છે. 1-14 ઓગસ્ટ સુધી દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 6.3 ટકા હતો જે 14-27 ઓગસ્ટ સુધીમાં વધીને 7.9 ટકા થઈ ગયો છે.

છત્તીસગઢમાં પણ વધી રહ્યો છે કોરોના
છત્તીસગઢ દેશમાં કોરોનાનું નવુ હોટસ્પોટ બની ગયું છે. લેટેસ્ટ આંકડા મુજબ 14-27 ઓગસ્ટ દરમિયાન છત્તીસગઢમાં પોઝિટિવિટી રેટ 9 ટકાને પાર થઈ ગયો છે. આ પહેલા 1-14 ઓગસ્ટ દરમિયાન પોઝિટિવિટી રેટ 5.9 ટકા જ્યારે 15-28 જુલાઈ દરમિયાન 4.9 ટકા હતો. જે દર્શાવે છે કે, છત્તીસગઢમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ સતત વધી રહ્યો છે.

તામિળનાડુમાં પોઝિટિવિટી રેટ ઘટ્યો
લેટેસ્ટ આંકડા મુજબ તામિળનાડુમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે જે ખૂબ જ સારી બાબત છે. 15થી 18 જુલાઈ દરમિયાન અહીંનો પોઝિટિવિટી રેટ 10.3 ટકા હતો. જે 1થી 14 ઓગસ્ટ દરમિયાન 8.8 અને બાદમાં 14થી 27 ઓગસ્ટ દરમિયાન ઘટીને 8.3 ટકા રહ્યો છે. આમ તામિળનાડુમાં પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો