એપશહેર

દિલ્હીની NIA કોર્ટે હાફિઝ સઈદ વિરુદ્ધ જાહેર કર્યું બીનજામીનપાત્ર વોરન્ટ

સઈદ મુંબઈ હુમલાનો મુખ્ય ષડયંત્રકાર છે. વિશેષ જજ પ્રવીણ સિંહે સઈદ વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું.

I am Gujarat 7 Feb 2021, 12:03 am
નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે જમ્મુ કાશ્મીરમાં ટેરર ફંડીગ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં શનિવારે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના લીડર હાફીઝ સઈદ વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું છે. સઈદ મુંબઈ હુમલાનો મુખ્ય ષડયંત્રકાર છે. વિશેષ જજ પ્રવીણ સિંહે સઈદ વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું.
I am Gujarat nia court in delhi issues non bailable warrant against hafiz saeed in terror funding case
દિલ્હીની NIA કોર્ટે હાફિઝ સઈદ વિરુદ્ધ જાહેર કર્યું બીનજામીનપાત્ર વોરન્ટ


કોર્ટે આ સાથે જ ત્રણ અન્ય આરોપીઓ કાશ્મીરી બિઝનેસમેન ઝહૂર અહમદ શાહ વતાલી, અલગાવવાદી અલ્તાફ અહમદ શાહ ઉર્ફ ફંટૂશ અને સંયુક્ત આરબ અમીરાત સાથે સંબંધ રાખનાર વ્યવસાયી નવલ કિશોર કપૂરને પણ કોર્ટ સામે હાજર થવા માટે વોરંટ જાહેર કરાયું છે. જે હાલ તિહાર જેલમાં છે. કોર્ટે આ ઘટનામાં ઈડી દ્વારા મની લોન્ડ્રિંગના આરોપોમાં દાખલ કરવામાં આવેલ ફરિયાદને ધ્યાનમાં લેતા નિર્દેશ જાહેર કર્યા છે.

જજે વતાલીની કંપનીના પ્રતિનિધિઓને પણ સમન જાહેર કર્યા જેમાં આરોપી તરીકે આ ઘટનામાં સંડોવણી છે. ઈડી તરફથી સ્પેશ્યિલ પબ્લિક પ્રોસિક્યૂટર નીતેશ રાણાએ કોર્ટને જણાવ્યું કે આરોપીઓએ જમ્મુ કાશ્મીરમાં વિધ્વંસક અને અલગાવવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ષડયંત્ર રચ્યું છે.

રાણાએ કોર્ટને જણાવ્યું કે આરોપીઓએ કાર્યકર્તાઓનું નેટવર્ક સ્થાપિત કર્યુ હતું. જે માટે ફન્ડિંગ હવાલા દ્વારા પાકિસ્તાની એજન્સીઓએ કરી હતી. જેમાં સ્થાનિક સ્તર પર પણ અને વિદેશોમાંથી પણ ફંડ એકઠું કરવામાં આવ્યું.

કાશ્મીર ઘાટીમાં મુશ્કેલીઓ ઉભી કરવા અને સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાના ષડયંત્રના કારણે સઈદ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સૈયદ સલાહુદ્દીન અને અન્ય વિરુદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસના આધારે EDએ ફરિયાદ દાખલ કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો