એપશહેર

નિર્ભયાના દોષીઓને 1લી ફેબ્રુઆરીએ પણ ફાંસી થવી મુશ્કેલ, આ છે કારણ...

Yogesh Gajjar | I am Gujarat 18 Jan 2020, 1:33 pm
નવી દિલ્હીઃ નિર્ભયા કાંડના દોષીઓની ફાંસીની સજા પર સ્ટેના કારણે તેની માતા ખૂબ જ નિરાશ છે. તેમણે કહ્યું કે, મને ન્યાય જોઈએ મને નથી ખબર કે કોર્ટ આ કેવી રીતે આપશે. તેઓ કહે છે, દોષીઓ જેવું ઈચ્છે છે તેવું થઈ રહ્યું છે, તારીખ પર તારીખ અપાઈ રહી છે, આપણી સિસ્ટમ એવી છે જ્યાં દોષીઓનું સાંભળવામાં આવે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જણાવી દઈએ કે ચારેય દોષીઓને હવે 1લી ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટે નવી તારીખ જાહેર કરી. એડિશનલ સત્રના જજ સતીશ કુમાર અરોરાએ શુક્રવારે મામલામાં દોષી મુકેશ કુમાર સિંહની ફાંસીની તારીખ આગળ વધારવા સંબંધિત અરજી પર સુનાવણી કરી અને તે બાદ નવું ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું. નિર્ભયાની માતાના વકીલ જિતેન્દ્ર ઝાએ કહ્યું, મને લાગે છે કે હજુ ફાંસી આપવામાં 74થી 75 દિવસ લાગશે. નવુ ડેથ વોરંટ જાહેર તો થઈ ગયું છે, પરંતુ કોઈપણ 31મી જાન્યુઆરીએ 12 વાગ્યા પહેલા રાષ્ટ્રપતિ પાસે દયા અરજી લઈને જશે તો ફાંસી અટકી જશે. કોર્ટે દોષિયો માટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. પરંતુ દોષીઓના વકીલ મામલાને હજુ વધુ ખેંચવા માગે છે. એક દોષીએ ઉંમરને લઈને વાંધો ઉઠાવ્યો છે જેમાં કહેવાયું છે કે ઘટના સમયે તે સગીર હતો. તો દોષીઓના વકીલે કહ્યું કે, સંવિધાનને ધ્યાનમાં રાખીને નવું ડેથ વોરંટ જાહેર થયું છે. હજુ કાયદાકીય દાવપેચ બાકી છે. મેં જજને કહ્યું હતું કે મામલો પેન્ડીંગમાં છે, પરંતુ જજે ન સાંભળ્યું, હવે હું હાયર કોર્ટમાં જઈશ.’ આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા બળાત્કાર મામલામાં દોષી મુકેશ સિંહની દયા અરજી શુક્રવારે રદ કરી દીધી. મુકેશ 2012માં નિર્ભયા સામુહિક બળાત્કાર અને હત્યા મામલામાં ચાર દોષીઓમાંથી એક છે, જેને ફાંસીની સજા આપવાનો આદેશ કરાયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો