નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના દોષિતો ફાંસીની સજાથી બચવા માટે વારંવાર નવા નવા પેંતરા કરી રહ્યા છે. ડેથ વોરન્ટની તારીખ નજીક આવતા જ નિર્ભયાના દોષિતોએ ફરી એકવાર કાયદાની જાળવામાંથી બચવાના પ્રયાસ શરુ કરી દીધા છે. શનિવારે ચારમાંથી બે દોષિતોએ દિલ્હીની કોર્ટના ડેથ વોરન્ટને રોખવા માટે અરજી દાખલ કરી છે. જણાવી દઈએ કે 2012માં બનેલી દિલ્હીની ચાલતી બસમાં સામૂહિક બળાત્કારની ઘટનામાં આરોપીઓને 3જી માર્ચે ફાંસી પર લટકાવવાના છે. આ પહેલા દોષિત અક્ષય ઠાકુરે નવી દયા અરજી દાખલ કરી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સવાલ એ છે કે ગેંગરેપના ગંભીર કૃત્ય પછી ચારો દોષિતો ક્યાં સુધી કાયદાની આંટીઘૂંટીમાંથી છટકબારી શોધતા રહેશે? શું ફરી એકવાર 3 માર્ચના રોજ થનારી ફાંસીની સજા અટકાવવામાં દોષિતો સફળ થઈ જશે? આખરે ક્યારે આ ચારો રાક્ષસોને ફાંસીના માચડા પર લટકાવવામાં આવશે?ફાંસીની તારીખ નજીક આવતા એક્ટિવ થયા દોષીડેથ વોરન્ટની તારીખ નજીક આવતાની સાથે ફરી દોષિતો એક્ટિવ થઈ ગયા છે. આરોપી ઠાકુરે દાવો કર્યો છે કે તેણે રાષ્ટ્રપતિ સામે એક નવી અરજી દાખલ કરી છે. એટલા માટે હવે ડેથ વોરન્ટને આગળ વધારવું પડશે. નિર્ભયા ગેંગરેપ અને હત્યાનો ચોથા દોષિત પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે 2 માર્ચે સુનાવણી કરશે. પવન પોતાની અરજીમાં કહ્યું છે કે ઘટના વખતે કિશોર હતો. આ મામલે તેની રિવ્યૂ અરજી ફગાવાઈ છે. કચ્છઃ લગ્ન પ્રસંગમાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાઈરલત્રણ વખત જારી થઈ ચૂક્યું છે ડેથ વોરન્ટકોર્ટે આ પહેલા 7 જાન્યુઆરીનું ડેથ વોરન્ટ આપ્યું હતું જે પછી 17 જાન્યુઆરી અને 31 જાન્યુઆરી બે વખત વોરન્ટ સ્થગિત કરાયું છે. પવન ગુપ્તા સિવાય બાકીના ત્રણે પોતાની દયા અરજીના વિકલ્પનો ઉપયોગ કર્યો છે.ચારે દોષિતોને 3 માર્ચે થવાની છે ફાંસીત્રણ અન્ય દોષિતો સાથે પવન કુમાર સામે ત્રણ માર્ચે ડેથ વોરન્ટ જારી કરાયું છે. પવન કુમારના વકીલ એપી સિંહે કહ્યું કે ગુનાના સમયે તે કિશોર હતો, માટે મૃત્યુની સજા તેને ના થવી જોઈએ. સિંહે નીચલી કોર્ટ દ્વારા જારી કરાયેલા ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માંગ કરી છે. પવન ગુપ્તા એક માત્ર દોષિત છે જેણે હજુ સુધી રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ નથી કરી. ે