એપશહેર

નિર્ભયા કેસઃ હવે નરાધમ વિનયે કરી રાષ્ટ્રપતિ પાસે દયા અરજી, 1 ફેબ્રુઆરીએ ફાંસી થશે કે નહીં?

Mitesh Purohit | I am Gujarat 29 Jan 2020, 11:07 pm
નવી દિલ્હીઃ શું નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના નરાધમોને 1 ફેબ્રુઆરીએ ફાંસી થશે કે નહીં? આ સવાલ હવે એટલા માટે ઉભો થયો છે કે ચારેય દોષિઓ પૈકી હવે એક વિનય શર્માએ બુધવારે રાષ્ટ્રપતિ સામે દયા અરજી કરી છે. જ્યારે અન્ય એક દોષિતની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે 1 ફેબ્રુઆરીએ ફાંસી વધુ એકવાર ટળી શકે છે. નિયમ મુજબ રાષ્ટ્રપતિ દયાની અરજી નકારી કાઢે છે તો ફરી નવું ડેથ વોરંટ જાહેર કરવું પડશે. આ પહેલા 22 જાન્યુઆરીએ પણ ફાંસી કાયદાકીય દાંવપેચના કારણે ટળી ગઈ હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: વિનયનો કેસ લડતા વકીલ એ.પી સિંહે કહ્યું કે, તેમણે વિનય તરફથી રાષ્ટ્રપતિ ભવનમાં દયાની અરજી કરી દીધી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા વિનયની ક્યુરેટિવ પિટિશન પહેલાથી જ નકારી કાઢવામાં આવી છે. આ પહેલા અન્ય એક દોષિત મુકેશ કુમારે સિંહે દયાની અરજી દાખલ કરી હતી જેને 17 જાન્યુઆરીએ જ રાષ્ટ્રપતિએ નકારી કાઢી હતી. તો બીજી બાજુ ચારેય દોષિતો પૈકી અક્ષયે બુધવારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન કરી હતી. આ અપીલમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ હિંસાના કારણે લોકોના આક્રોશના દબાણ હેઠળ કોર્ટ દ્વારા આવા તમામ કિસ્સામાં ફાંસીની સજા આપવામાં આવે છે. જ્યારે મુકેશ કુમરા સિંહની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરાતા તેણે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિના આદેશના વિરોધમાં અપીલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે બુધવારે આ અપીલ ફગાવી દીધી હતી. આ પહેલા 1 ફેબ્રુઆરીને ફાંસીની તારીખ જાહેર કરવામાં આવે ત્યારે પણ નિર્ભયાની માતાએ કહ્યું હતું કે કોર્ટ દ્વારા તારીખ પર તારીખ જ આપવામાં આવે છે. જ્યાં સુધી દોષિતો ફાંસીએ નહીં ચડે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. તેમણે નિરાશા સાથે કહ્યું કે આપણા કાયદામાં રહેલી છટકબારીઓના કારણે દોષિતો દરરોજ ફાંસી ટાળવા માટે કોઈને કોઈ જુગાડ લગાવી લે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો