એપશહેર

કોહિનૂર ભારતને પાછો આપવાનું કોઈ કાયદા ધોરણ નથીઃ બ્રિટનના પ્રધાન

I am Gujarat 27 Jul 2016, 5:09 pm
નવી દિલ્હી: બ્રિટન પાસેથી કોહિનૂર પાછો લાવવાની ભારતની ઝુંબેશને ફટકો પડ્યો છે. બ્રિટનના એશિયા અને પેસિફિક બાબતોના પ્રધાન આલોક શર્માએ બુધવારે કહ્યું હતું કે, કોહિનૂર પાછો આપવાના કોઈ કાયદા ધોરણ ન હોવાનું તેમની સરકારે કહ્યું છે. બ્રેક્ઝિટ બાદ ભારત આવનારા તે પહેલાં બ્રિટિશ મિનિસ્ટર છે. આલોક શર્માએ કહ્યું છે કે, ‘કોહિનૂર પાછો મોકલવાનું કોઈ લીગલ ગ્રાઉન્ડ છે તેવું બ્રિટિશ સરકારે ક્યારેય માન્યું નથી.’
I am Gujarat no legal ground for restitution of kohinoor says uk minister
કોહિનૂર ભારતને પાછો આપવાનું કોઈ કાયદા ધોરણ નથીઃ બ્રિટનના પ્રધાન


ગયા મહિને એવા સમાચાર વહેતા થયા હતા કે, ભારત વિશ્વના સૌથી કીમતી હીરામાંથી એક કોહિનૂર પાછો લાવવા માટે ટૂંક સમયમાં જ બ્રિટન સાથે વાતચીત કરશે. હાલ તો કોહિનૂર ટાવર ઓફ લંડનમાં પ્રદર્શિત રાજમુકુટમાં લગાવેલો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

1849માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ પંજાબની હાર બાદ શીખ સામ્રાજ્ય પાસેથી કોહિનૂર કાઢી કંપનીની તિજોરીમાં પહોંચાડી દીધો હતો. એ સમયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો કોષ લાહોરમાં હતો. બાદમાં કોહિનૂર હીરાને બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાને સુપરત કરાયો હતો. જોકે હવે ભારત ઘણા સમયથી કોહિનૂર પાછો લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. બ્રિટને 2013માં આ માગનો અસ્વીકાર કર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો