એપશહેર

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની પાંચમી વાતચીત પણ નિષ્ફળ, 9 ડિસેમ્બરે ફરી મીટિંગ

નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકારની વચ્ચે પાંચમી વાટાઘાટોમાં પણ કોઈ નિર્ણય લેવાયો નથી.

I am Gujarat 5 Dec 2020, 8:39 pm
નવી દિલ્હી: નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકારની વચ્ચે પાંચમી વાટાઘાટોમાં પણ કોઈ નિર્ણય લેવાયો નથી. હવે તારીખ 9 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતોના પ્રતિનિધિઓ વચ્ચે ફરી વાતચીત થશે. આ વાતચીતમાં ખેડૂતોએ કેન્દ્ર સરકારને કહી દીધું છે કે તેમની પાસે કરિયાણા-પાણીની અછત નહીં હોવાથી તેઓ પોતાની માગોને લઈને રસ્તા પર પ્રદર્શન ચાલુ રાખશે. તેમણે એવું પણ કહ્યું કે તેઓ જ્યાં સુધી તેમની માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખશે.
I am Gujarat q9


ભારતીય કિસાન યૂનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે એમએસપી પર પણ ચર્ચા થઈ, પરંતુ અમે કહ્યું કે અમારે કાયદા પર પણ ચર્ચા કરવી છે અને તે પરત લો. મીટિંગમાં સામેલ રહેલા વધુ એક ખેડૂત નેતાએ મીડિયાને જણાવ્યું કે સરકાર 9 ડિસેમ્બરે ખેડૂતોને વિચાર માટે એક પ્રપોઝલ મોકલશે. કૃષિ બિલ સામે ખેડૂત પ્રદર્શનનો આજે 10મો અને મહત્વનો દિવસ હતો. ખેડૂત અને સરકાર વચ્ચે શનિવારે પાંચમા તબક્કાની બેઠક થઈ હતી. જેમાં કોઈ નિર્ણય લેવાયો નથી. હવે 9 ડિસેમ્બરના રોજ ફરી બેઠક થશે. જે સવારે 11 વાગ્યે શરૂ થશે.

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ, બેઠકમાં ખેડૂતોએ કહ્યું કે તેઓને આ સમગ્ર વિવાદનો કોઈ ઉકેલ/પાક્કું વચન જોઈએ. તેમણે કહ્યું કે તેઓ આગળ ચર્ચા નથી ઈચ્છતા. જો સરકાર અમારી માગ નહીં માને તો અમે પ્રદર્શન ચાલુ રાખીશું.

તેમણે કહ્યું કે જો સરકાર ઈચ્છે છે કે અમે રસ્તા પર રહીએ તો પણ અમને કોઈ વાંધો નથી. અમે હિંસાનો રસ્તો પસંદ નહીં કરીએ. અમે કોર્પોરેટ ફાર્મિંગ નથી ઈચ્છતા. આ કાયદાથી ના તો સરકારને ફાયદો થશે કે ના તો ખેડૂતોને. જ્યારે બીજી બાજુ પંજાબ અને આસપાસના રાજ્યના ખેડૂતોની દિલ્હી કૂચ ચાલુ છે. શનિવારે જલંધરથી ખેડૂતો ટ્રેક્ટર, ટ્રોલીઓ અને અન્ય વાહનો લઈને દિલ્હી આવ્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો