એપશહેર

લોન પર વ્યાજનું વ્યાજ: સરકારે સુપ્રીમને કહી દીધું, 'હવે વધુ રાહત નહીં આપી શકાય'

સુપ્રીમ કોર્ટમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હવે વધુ રાહત આપવી એટલે દેશના અર્થતંત્ર અને બેંક સેક્ટરને ઉંડી ખીણમાં નાખવું. વધુ રાહત ન આપી શકાય.

Authored byDhananjay Mahapatra | TNN 10 Oct 2020, 11:11 am
નવી દિલ્હીઃ રિયલ એસ્ટેટ સહિતના સેક્ટરની માગ પછી શુક્રવારે કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કરી દીધું કે હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી. સરકારે લોનનો મોરેટોરિયમ પીરિયડ વધારવા કે પછી EMI મુલતવી રાખવાની વધુ રાહત આપવાના મૂડમાં નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે. આ સોગંદનામામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સરકારે વિવિધ ક્ષેત્રોને પૂરતા રાહત પેકેજ આપ્યા છે. વર્તમાન મહામારી વચ્ચે હવે આ ક્ષેત્રોને વધુ રાહત આપવી શક્ય નથી.
I am Gujarat not possible to give more relief on loan moratorium center tells supreme court
લોન પર વ્યાજનું વ્યાજ: સરકારે સુપ્રીમને કહી દીધું, 'હવે વધુ રાહત નહીં આપી શકાય'


નાણાંકીય નીતિ સરકારના અધિકાર ક્ષેત્રમાં

આ સાથે કેન્દ્ર સરકારે ભાર મૂક્યો હતો કે સુપ્રીમ કોર્ટે નાણાકીય નીતિઓના મામલે દખલ ન કરવી જોઈએ. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે PIL દ્વારા કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે રાહતની માંગ કરી શકાતી નથી. કેન્દ્ર સરકારના સોગંદનામા મુજબ 2 કરોડ સુધીની લોન માટે વ્યાજ પર વ્યાજ (કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ) માફ કરવા સિવાયની કોઈપણ રાહત રાષ્ટ્રીય અર્થતંત્ર અને બેંકિંગ ક્ષેત્ર માટે નુકસાનકારક છે.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે,રૂ .2 કરોડ સુધીની MSME, એજ્યુકેશન, હોમ, કન્ઝ્યુમર અને ઓટો લોન પર લાગુ કમ્પાઉન્ડ વ્યાજ માફ કરવામાં આવશે. આ સિવાય ક્રેડિટ કાર્ડ બેલેન્સ પર પણ આ વ્યાજ એકત્રિત કરવામાં આવશે નહીં. પરંતુ આ પછી પણ સર્વોચ્ચ કોર્ટે વિવિધ ક્ષેત્રોના લોન ધારકોને રાહત આપવાની બાબત ધ્યાનમાં લેવા સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કરી હતી આકરી ટિપ્પણી

ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે મોરટોરિયમ કેસમાં કેન્દ્ર સરકાર પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રિઝર્વ બેંકની પાછળ પોતાને છુપાવવી જોઈએ નહીં અને એફિડેવિટ ફાઇલ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તમે ફક્ત વ્યવસાયમાં જ રસ નહીં લઇ શકો. લોકોની સમસ્યાઓ પણ જોવી પડશે. અહીં જણાવી દઈએ કે મોરેટોરિયમ પીરિયડના વ્યાજ પર વ્યાજને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો